આલિયા ભટ્ટના બચાવમાં આવ્યા અનુપમ ખેર... કહ્યું- ‘મને આવા લોકો પર દયા આવે છે’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anupam Kher Defends Alia Bhatt: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટની હાજરી બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વિશે અભિનેતા અનુપમ ખેરે આલિયાનો પક્ષ લીધો છે. આ વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું કે ‘આલિયાની ટીકા કરનારાઓ પર મને ગુસ્સો નથી આવતો, પણ દયા આવે છે.’
તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, "આવા નકામા લોકો કે જેમની પાસે જીવનમાં કરવા માટે કંઈ જ નથી, તેઓ માત્ર કોઈ આઇકોનિક વસ્તુ કે વ્યક્તિની ટીકા કરીને લોકોનું ધ્યાન ખેંચવા માંગે છે. હવે મને તેમના પર ગુસ્સો નથી આવતો, ઊલટાનું મને તેમની દયા આવે છે."
"આલિયા એક રોકસ્ટાર છે” : અનુપમ ખેર
હાલમાં જ પોતાની ઇન્ડો-કેનેડિયન ફિલ્મ 'કેલરી' માટે યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ફ્લેમ એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતનારા અનુપમ ખેરે કહ્યું કે, આલિયાએ કાન્સમાં જે રીતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તેના પર તેમને ગર્વ છે. આ વિશે અનુપમ ખેરે કહ્યું કે, "આલિયાએ આ ટ્રોલર્સને જે રીતે જવાબ આપ્યો તે મને ખૂબ ગમ્યો. આ ટ્રોલર્સ એટલા બિચારા છે કે તેમનું અસ્તિત્વ જ સેલિબ્રિટીઝના કારણે છે. આલિયા એક રોકસ્ટાર છે અને તે સારી રીતે જાણે છે કે આવા લોકો સાથે કેવી રીતે પનારો પાડવો."
નવા નાટક ‘જાને પહેચાને અનજાને’ વિશે કરી વાત
આલિયા ભટ્ટનો બચાવ કરવા ઉપરાંત, અનુપમ ખેરે પોતાના નવા થિયેટર નાટક ‘જાને પહેચાને અનજાને’ વિશે પણ વિગતો શેર કરી હતી. ગયા વીકેન્ડમાં મુંબઈમાં સફળ શો કર્યા પછી, તેઓ આ વીકેન્ડમાં આ નાટકને દિલ્હી લઈ જઈ રહ્યા છે. તેમણે ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા 21 વર્ષથી પોતાનો વન-મેન શો 'કુછ ભી હો સકતા હૈ' કરી રહ્યા છે, પરંતુ 'જાને પહેચાને અનજાને' એક નવું નાટક છે અને આ પહેલીવાર છે જ્યારે અમારા એક જ નાટકમાં આટલા બધા કલાકારો એકસાથે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!
લાઈવ પર્ફોર્મન્સનો રોમાંચ
અનુપમ ખેરનું આ નવું નાટક એક મરાઠી નાટક પર આધારિત છે, પરંતુ તેમાં એક નવો ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે. તેમણે જાણીતા સંગીતકાર અનુ મલિક સાથે મળીને આ નાટકને એક મ્યુઝિકલ રૂપ આપ્યું છે અને તેનું ટાઇટલ ટ્રેક પણ તેમણે પોતે જ ગાયું છે. શો શરૂ થતા પહેલા થોડી ગભરામણ થતી હોવા છતાં, અનુપમ ખેરે જણાવ્યું કે સ્ટેજ પર ઓડિયન્સ સામે લાઈવ પર્ફોર્મન્સ આપવું તેમને જીવનનો સૌથી મોટો રોમાંચ આપે છે. તેમણે કહ્યું, "જ્યારે પ્રેક્ષકો તમારા માટે તાળીઓ પાડે છે ત્યારે અદભુત આનંદ થાય છે. સ્ટેજ પર કોઈ રીટેક હોતો નથી, તેથી તમારે હંમેશાં સંપૂર્ણ સજાગ અને તૈયાર રહેવું પડે છે."









