માણાવદર તાલુકાના બૂરી ગામે મૂશળધાર વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં ઓએનજીસી (ONGC) કંપનીના 10 કર્મચારીઓ ફસાયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલરૂમની સૂચનાથી હોમગાર્ડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી હતી. પૂરના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે હોમગાર્ડના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને તમામ 10 કર્મચારીઓને કોઈપણ ઈજા વગર હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
અમદાવાદમાં મેઘરાજાની સવારી, જૂનાગઢમાં હાઈવે ધોવાયો, મેંદરડામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 19ના રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં 22.20 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, ડાંગના વઘઈમાં 13.31, સુરતના અંબિકામાં 13.19 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કયા 7 જિલ્લામાં રેડ એલર્ટ
ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર
કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા

માણાવદરમાં પૂર વચ્ચે હોમગાર્ડની ટીમ તારણહાર બની, ONGCના 10 કર્મચારીઓનું રેસ્ક્યુ
મેંદરડાના સમઢીયાળા ગામે પૂરના પાણીમાં ફસાયેલા 19 લોકોનું દિલધડક રેસ્ક્યુ, ફાયર ટીમ દેવદૂત બની
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે મેંદરડાના સમઢીયાળા ગામે પૂરના ધસમસતા પ્રવાહમાં એક રિક્ષા, કાર અને ઈકો ગાડીમાં બાળકો તેમજ વૃદ્ધો સહિત 19 જેટલા લોકો ફસાયા હતા. ઈમરજન્સી નંબર 112 પરથી માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ફાયર સ્ટેશનની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડિવિઝનલ ફાયર ઓફિસરની આગેવાનીમાં, પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવા છતાં ફાયર સર્વિસની ટીમે ભારે સુઝબુઝ અને સાહસપૂર્વક ઓપરેશન હાથ ધરીને તમામ 19 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું.
માંગરોળમાં ભારે વરસાદથી રસ્તાનું ધોવાણ થતાં NH-51 બંધ: વૈકલ્પિક રુટ જાહેર
કેશોદ અને માંગરોળ પંથકમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-51 પર હુસૈનાબાદ નજીક પૂરના પાણી ફરી વળતાં માર્ગને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેને પગલે જનતાની સુરક્ષા અર્થે આ હાઈવે પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સોમનાથથી દ્વારકા તરફ જતા વાહનચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે સોમનાથ-જેતપુર-પોરબંદર-દ્વારકા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. હાલ NHAI ની રાજકોટ ટીમ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે અને સમારકામ પૂર્ણ થતાં જ આ હાઈવે ફરી ખુલ્લો મૂકવામાં આવશે.

અમદાવાદમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં ગઈકાલ રાતથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે પણ સંપૂર્ણ અમદાવાદમાં વાદળીયા વાતાવરણ વચ્ચે એસ.જી. હાઈવે, મકરબા, જુહાપુરા, સરખેજ વિસ્તારમાં સવારથી જ વરસાદની શરૂઆત થઇ ચૂકી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં મેઘરાજા વરસ્યા
હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં 565 મિ.મી. એટલે કે કુલ 23 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. આ આંકડા 3 જુલાઈના સવારના 6 વાગ્યાથી લઈને 4 જુલાઈના 7 વાગ્યા સુધીના છે. જ્યારે માળિયા હાટિનામાં પણ 358 મિ.મી. એટલે કે 14 ઈંચ વરસાદ નોંધાયો હતો.
આગાહી વચ્ચે વલસાડમાં વરસાદ શરૂ, બે કલાકમાં 6 તાલુકામાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનુ રેડ એલર્ટ જાહરે કરવામાં આવ્યું છે. આ સાથે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના આંકડા સામે આવી ગયા છે. જે પ્રમાણે વલસાડના કપરાડામાં સૌથી વધુ 18 મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ત્યારબાદ છોટા ઉદેપુરના કાવંતમાં 15 મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં 43 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે.










