
ઝિમ્બાબ્વે સામે હરારેમાં 23, 25 અને 26 જુલાઈએ રમાનારી 3 T20 મેચની સિરિઝ માટે ભારતીય ટીમ જાહેર કરાઈ છે. શ્રેયસ અય્યરના કેપ્ટન, તિલક વર્મા વાઈસ કેપ્ટન રહેશે, જ્યારે સંજુ સેમસનને બહાર રખાયો છે. વૈભવ સૂર્યવંશી, રિન્કુ સિંહ, મયંક યાદવને ટીમમાં લેવાયા છે. પ્રભસિમરન સિંહ, અશોક શર્મા, યશ ઠાકુર જેવા IPL સ્ટાર્સને પહેલીવાર તક મળી છે.