
દિલ્હીના વર્ષ 2020ના રમખાણો દરમિયાન ગુપ્તચર વિભાગના અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં કડકડડૂમા કોર્ટે પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિત 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જોકે, ગુનાહિત કાવતરાના આરોપમાંથી તાહિર હુસૈનને મુક્તિ આપવામાં આવી છે. હત્યા, અપહરણ, રમખાણો અને વૈમનસ્ય ફેલાવવા સહિતની કલમો હેઠળ દોષિત ઠરાવાયેલા આરોપીઓની સજા અંગેનો નિર્ણય હવે અલગથી સંભળાવાશે.