'12 વર્ષથી વળતર ક્યાં?' અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે જમીન આપનાર ગોધરાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઘેરી, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Farmers Land Acquisition Compensation: પંચમહાલ ગોધરા તાલુકા માંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના વળતર માટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અસરગ્રસ્ત ખેડૂતો અને અગ્રણીઓએ અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સંપાદિત જમીનના વળતરની ખેડૂતોની માગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.
અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે જમીન આપનાર ગોધરાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઘેરી
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગોધરા તાલુકાના વેગનપુર, ટુવા સહિતના ગામના ખેડૂતોની જમીન અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવેમાં સંપાદિત થયા બાદ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને પુનઃ નવી જમીન સંપાદિત કરવા કેટલાક ખેડૂતોને નોટિસ આપવામાં આવતાં તમામ ખેડૂતો ચિંતમાં મૂકાયા છે.
'12 વર્ષથી વળતર ક્યાં?'
ખેડૂતોએ કહ્યું કે, અગાઉ નજીવું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જો કે, સંપાદિત જમીન મામલે છેલ્લા 12 વર્ષથી કેસનો નિકાલ પેન્ડિગ છે. આમ, જો ખેડૂતોની જમીન સંપાદન અંગેના કેસનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણી બહિષ્કાર કરવાની ખેડૂત અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે. તેમજ આગામી દિવસોમાં વળતર ચૂકવવા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઇવે ચક્કાજામ, ભૂખ હડતાળ કરવા સહિતની ફરજ પડશે.




