India

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને ફેફસાની બિમારીથી પણ પીડાતા હતા... હવે PM રિપોર્ટ પર નજર

By GS TEAM
13 May 20262 mins read
TukuTouch Logo
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવે બુધવારે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે અચાનક તેમની તબિયત બગડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માત્ર 38 વર્ષની વયે તેમના અવસાનના સમાચાર મળતા જ સપા કાર્યકર્તાઓ અને યાદવ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કરતા દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને ફેફસાની બિમારીથી પણ પીડાતા હતા... હવે PM રિપોર્ટ પર નજર
(IMAGE - IANS)

Prateek Yadav Dies at 38: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવે બુધવારે લખનઉમાં અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, બુધવારે સવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને લખનઉની સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માત્ર 38 વર્ષની વયે તેમના અવસાનના સમાચાર મળતાં જ સપા કાર્યકર્તાઓ અને યાદવ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પર આ અંગે દુઃખ વ્યક્ત કરતાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

ડિપ્રેશન અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી હતા પરેશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝૂઝી રહ્યા હતા. તેઓ ડિપ્રેશન (માનસિક તણાવ)માં હતા અને તેમને વેઈન્સ (નસો)ને લગતી બીમારીની સારવાર ગુરુગ્રામમાં ચાલી રહી હતી. જોકે, તેમના મૃત્યુનું સચોટ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

રાજકારણથી રહ્યા દૂર, બિઝનેસ અને ફિટનેસમાં બનાવી ઓળખ

એક મોટા રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં પ્રતીક યાદવે હંમેશા રાજકારણથી અંતર જાળવી રાખ્યું હતું. લંડનની લીડ્સ યુનિવર્સિટીમાંથી MBA કર્યા બાદ તેમણે પોતાનું કરિયર રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્રે બનાવ્યું હતું. તેમના પત્ની અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. પ્રતીક યાદવ લાંબા સમયથી સામાજિક મેળાવડાથી દૂર હતા, પરંતુ પરિવારમાં તેઓ સૌના પ્રિય હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારોના હતા શોખીન

પ્રતીક યાદવ એક સફળ બિઝનેસમેન હતા. ફોર્બ્સ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, તેમની અંદાજિત સંપત્તિ 6-7 કરોડ રૂપિયાની આસપાસ હતી, જેમાં રિયલ એસ્ટેટ બિઝનેસનો મોટો હિસ્સો હતો. આ ઉપરાંત, તેઓ લખનઉમાં 'આયર્ન કોર ફિટ' જેવા હાઇ-એન્ડ જિમ અને ફિટનેસ સેન્ટર ચલાવતા હતા. તેઓ પોતે પણ ફિટનેસના ખૂબ શોખીન હતા. પ્રતીક યાદવને લક્ઝરી કારોનો પણ જબરદસ્ત શોખ હતો; તેમના કલેક્શનમાં અંદાજે 5 કરોડની લેમ્બોર્ગિની, રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવી ગાડીઓ સામેલ હતી. તેમને કાર રેસિંગમાં પણ વિશેષ રસ હતો.