India

' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...' નેધરલૅન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

By GS Team
16 May 20262 mins read
TukuTouch Logo
નેધરલેન્ડ્સના હેગ શહેરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ શહેર આખી દુનિયામાં 'સિટી ઓફ પીસ' તરીકે ઓળખાય છે. હાલમાં 5 દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, અહીં વસતા ભારતીયોનો અદ્ભુત પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. તેમણે લોકોને કહ્યું કે, સમય ભલે બદલાયો હોય પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ દરેકના દિલમાં વસેલી છે. સમય ભલે બદલાયો, પણ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...' નેધરલૅન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

PM Modi in Netherlands: નેધરલૅન્ડ્સના હેગ શહેરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ શહેર આખી દુનિયામાં 'સિટી ઑફ પીસ' તરીકે ઓળખાય છે. હાલમાં 5 દેશોના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, અહીં વસતા ભારતીયોનો અદ્ભુત પ્રેમ જોઈને હું થોડીવાર માટે ભૂલી જ ગયો કે હું વિદેશમાં છું. તેમણે લોકોને કહ્યું કે, સમય ભલે બદલાયો હોય પરંતુ ભારતની સંસ્કૃતિ આજે પણ દરેકના દિલમાં વસેલી છે. સમય ભલે બદલાયો, પણ લોકોની અંદર રહેલા ભારતીય સંસ્કાર અને આપણું પોતાનું લોહી ક્યારેય બદલાયા નથી.

વૈશ્વિક આપત્તિઓ પર ચિંતા અને ઐતિહાસિક દિવસની યાદ

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલના યુદ્ધને કારણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ દાયકો દુનિયા માટે આપત્તિઓનો દાયકો બની રહ્યો છે અને જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો તે આવનારા દાયકાઓ સુધી ભારે પડશે. આ સાથે જ તેમણે 16 મેના દિવસને અત્યંત વિશેષ ગણાવ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, આજથી બરાબર 12 વર્ષ પહેલાં 2014મા આજના જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, જેણે દેશની દિશા બદલી નાખી હતી. આ પ્રસંગે તેમણે નેધરલૅન્ડ્સની જનતાને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

નવા ભારતની સિદ્ધિઓ અને બદલાતા યુવાનોની ક્ષમતા

પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે આજનું ભારત બહુ મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચંદ્ર પર પણ એવા સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ પહેલા પહોંચી શક્યો નથી. આજે ભારત ટેક્નોલોજી અને બિઝનેસના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. ભારતમાં હાલ 20 મિલિયનથી પણ વધારે UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે અને દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. ભારતના બદલાતા અર્થતંત્ર અને યુવાધન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આજનો યુવા માત્ર નોકરીઓ શોધવાને બદલે પોતે ડ્રોન બનાવવા માંગે છે અને ઇનોવેશન તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો: સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા

ભારત-નેધરલૅન્ડ્સના સંબંધો અને લોકશાહીનો ઉત્સવ

બંને દેશો વચ્ચેના સમાન સંબંધો અને ભાગીદારી પર પ્રકાશ પાડતાં પીએમ મોદીએ જણાવ્યું કે, જેમ નેધરલૅન્ડ્સ તેના સુંદર ટ્યુલિપના ફૂલો માટે પ્રખ્યાત છે, તેમ ભારત કમળ માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રમાં ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચેનું તાલમેલ આગામી સમય માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પોતાના સંબોધનના અંતે તેમણે ભારતમાં ચાલી રહેલી લોકશાહીની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તાજેતરમાં ભારતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં રૅકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે, જે ભારતીય લોકશાહીની મજબૂતી દર્શાવે છે.