Maharashtra Political News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન અકસ્માતમાં નિધન થયા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, જોકે હવે NCPના અધ્યક્ષ સુનીલ તટકરેના નિવેદન બાદ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. અજિતની ઈચ્છા બાદ શરદ પવારે બંને પાર્ટીના મર્જરનું નિવેદન આપ્યું હતું. જોકે તટકરેની વાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો બદલાઈ ગયો છે.
તટકરેના નિવેદનથી શરદ પવારને ઝટકો !
સુનીલ તટકરેએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારી પાર્ટીનો એનડીએ સાથે રહેવાનો નિર્ણય મજબૂત અને કાયમ છે. જે નેતાઓ ભાજપના નેતૃત્વવાળી NDA સાથે રહેવા ઈચ્છે છે, તો તેઓ તે મુજબ નિર્ણય લે.’ તટકરેનું આ નિવેદન શરદ પવારના નિવેદન તરફ ઈશારો કરી રહી હોવાનું મનાઈ રહ્યું છે.
અજિત પવારે NCPના બે જૂથોને એક થવા અંગે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, બંને તરફના કાર્યકર્તાઓની ભાવના એક થવાની છે. જોકે અજિતના નિધન બાદ હવે NCP જૂથનો મૂડ હવે બદલાઈ ગયો છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, અજિતના નિધન બાદ NCPSPના વડા શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારની ઈચ્છા પુરી થવી જોઈએ.
શરદ પવારના નિવેદન બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કહ્યું છે કે, ‘જો NCPના મર્જરની વાત ફાઈનલ થઈ હોત તો અજિત દાદાએ મને જરૂર કહી હોત.’
અજિતના નિધન બાદ NCPના મર્જરની વાતો શરૂ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, અજિત પવાર (Ajit Pawar) ના નિધન બાદ એનસીપીના વિલિનીકરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સુનીલ તટકરે (Sunil Tatkare)નું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે, બંને પાર્ટીને એક કરવાનો રસ્તો સંપૂર્ણ બંધ થયો નથી, પરંતુ મર્જર કરવા માટે શરદ પવારે (Sharad Pawar) અજિતની એનસીપીની રાજકીય લાઈન સ્વિકારવી પડશે. તટકરેએ તો લોકો પર પર નિશાન સાધ્યું છે, જેમણે અજિતના અંતિમ સંસ્કાર પહેલા મર્જરની વાતો શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, આવા લોકોએ કહેવું જોઈએ કે, આવી ચર્ચાઓ વહેલી કેમ શરૂ કરવામાં આવી. NCPSPના ધારાસભ્ય રોહિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે, પવાર પરિવારમાં 13 દિવસ સુધી કોઈપણ રાજકીય ચર્ચા નહીં થાય. ત્યારબાદ આગામી નિર્ણયો લેવામાં આવશે.
આ પણ વાંચો : વિદેશમાં ફરવું સસ્તું થયું, વિદ્યાર્થી અને દર્દીઓ માટે પણ ખુશખબરી, જાણો શું થઈ જાહેરાત
NDA સાથે રહેવા NCP પ્રતિબદ્ધ
તટકરેના નિવેદનથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, એનસીપી એનડીએની સાથે રહેવા માટે પ્રતિબદ્ધ છે અને મર્જરની વાતો પોતાની શરતે આગળ વધારવા માંગે છે. બીજીતરફ શરદ પવારની પાર્ટી તરફથી પણ કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી. આ તમામ કારણોસર મહારાષ્ટ્રના રાજકારણમાં અસ્પષ્ટની સ્થિતિ ઉભી થઈ છે.
CM ફડણવીસે શું કહ્યું?
શરદ પવારના નિવેદન બાદ સીએમ દેવેન્દ્ર ફડણીસે (CM Devendra Fadnavis) મર્જરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે મર્જરની વાતોને રદીયો આપતા કહ્યું હતું કે, ‘જો મર્જર માટે ગંભીર વાતચીત ચાલી રહી હોત તો અજિત દાદાએ મને જરૂરથી કીધી હોત. અમારી સરકાર પાસે એનસીપીના વિલયની કોઈ માહિતી નથી. અજિત દાદા ભાજપ અને ગઠબંધનના સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વગર કોઈ મોટો નિર્ણય નહોતા લેતા. કેટલાક લોકો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શરદ પવારે દાવો કર્યો હતો કે, 12 ફેબ્રુઆરીએ NCPના બંને જૂથોના વિલિનીકરણની તારીખ નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતને મોટી ભેટ ! સુરતથી ડાનકુની સુધી બનશે નવો ફ્રેટ કોરિડોર, ઉદ્યોગોમાં ખુશીનો માહોલ


