Gujarat

VIDEO: 'દુર્ઘટના માટે તૈયાર રહેજો'! ગંભીરા બ્રિજ મુદ્દે ત્રણ વર્ષ પહેલા જ જાગૃત નાગરિકોએ ચેતવણી આપી હતી

By GS TEAM
9 Jul 20252 mins read
TukuTouch Logo
મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં 9 જેટલા લોકોના મોત થયા છે અને 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ બ્રિજ મુદ્દે અગાઉથી ચેતવણી આપતાં મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઑગસ્ટ 2022ના રોજ જિલ્લા કલેક્ટર અને આર એન્ડ બી વિભાગને પત્ર લખી બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'દુર્ઘટના માટે તૈયાર રહેજો'! ગંભીરા બ્રિજ મુદ્દે ત્રણ વર્ષ પહેલા જ જાગૃત નાગરિકોએ ચેતવણી આપી હતી

Vadodara Bridge Collapsed News : મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ ઘટનાએ તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ફરી એકવાર ઉજાગર કરી છે, કારણ કે બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે અગાઉથી જ ચેતવણીઓ આપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર પણ અપાઈ હતી ચેતવણી

આશ્ચર્યજનક રીતે, એક જાગૃત નાગરિકે 27 જૂન, 2023 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરીને આ જ બ્રિજ અંગે ચેતવણી આપી હતી. તેણે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મીડિયાને ટેગ કરીને લખ્યું હતું કે, "તમારા માટે બ્રેકિંગ ન્યૂઝ આવશે, જેવા મોરબીના આવ્યા હતા. કવરેજ માટે તૈયાર રહેજો." આ સ્પષ્ટ અને ભયાવહ ચેતવણી છતાં, તંત્ર દ્વારા તેની ગંભીરતાને ધ્યાને લેવામાં આવી ન હતી.


પૂર્વ ચેતવણી છતાં તંત્ર નિષ્ક્રિય

મુજપુર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે 4 ઓગસ્ટ, 2022 ના રોજ જિલ્લા કલેક્ટર અને માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખીને બ્રિજની જોખમી સ્થિતિ અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બ્રિજના પીલરોમાં "મોમેન્ટ" આવી ગઈ છે, બ્રિજ પરથી પસાર થતી વખતે ધ્રુજારી અનુભવાય છે અને તેની સપાટી સતત બગડી રહી છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

હર્ષદસિંહ પરમારની આ ગંભીર રજૂઆત છતાં, તંત્ર દ્વારા બ્રિજને જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, બ્રિજની સુરક્ષા સંબંધિત કોઈ તપાસ કે ટેસ્ટ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો ન હતો, જેના પરિણામે આજે આ ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 7 વાહનો નદીમાં ખાબક્યાં, 9નાં મોત


વધુમાં પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે. આજે જે ઘટના બની છે તે માનવ સર્જિત દુર્ઘટના ગણાય, કારણ કે તંત્ર પાસે પૂરતા પુરાવા હોવા છતાં પણ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. 




આજના અકસ્માતને સ્પષ્ટપણે માનવસર્જિત દુર્ઘટના કહી શકાય, કારણ કે તંત્ર પાસે બ્રિજની જર્જરિત સ્થિતિના પૂરતા પુરાવા હોવા છતાં, સમયસર અને યોગ્ય પગલાં લેવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને રાજ્યભરના આવા જર્જરિત પુલોની તાત્કાલિક તપાસ કરવાની જરૂરિયાત ઊભી કરી છે.