ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Support Price Purchase: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં વધારો કર્યો છે. આજે કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે કૃષિમંત્રીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખરીદી મર્યાદા કેટલી વધારાઈ?
આ નિર્ણય અંતર્ગત બાજરીની ખરીદી મર્યાદા અગાઉના 2,000 કિલો (100 મણ)થી વધારીને હવે 3,500 કિલો (175 મણ) કરવામાં આવી છે, જેમાં પ્રતિ ખેડૂત 1,500 કિલો (75 મણ)નો વધારો થયો છે. તેવી જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1,500 કિલો (75 મણ)થી વધારીને 2,500 કિલો (125 મણ) કરવામાં આવી છે, એટલે કે તેમાં 1,000 કિલો (50 મણ)નો વધારો કરાયો છે. આ ઉપરાંત, જુવારની ખરીદી મર્યાદામાં 700 કિલો (35 મણ)નો વધારો કરીને તેને અગાઉના 1,000 કિલો (50 મણ)થી વધારીને હવે ખેડૂત દીઠ 1,700 કિલો (85 મણ) નક્કી કરવામાં આવી છે.
ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ જ ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરશે. આ નિર્ણયથી ખેડૂતો પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે, જેનાથી તેમને સીધો આર્થિક લાભ થશે.








