RTOના નિયમોમાં મોટો ફેરફાર: વાહન ટ્રાન્સફર અને NOC માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vehicle Ownership Transfer: દેશભરમાં વાહન માલિકીની તબદીલી(ટ્રાન્સફર) અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) મેળવવાની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ ગત 15 જુલાઈ 2026થી કરી દેવામાં આવ્યો છે.
વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રૅકોર્ડ અને આધાર કાર્ડના રૅકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે સુધારા કરાયા છે. જેવા કે
- આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.
- આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે.
અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકશે તેવો દાવો
આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. આ નવી ઓનલાઇન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.









