- ઈમ્તીયાઝની દિલજીત સાથે વધુ એક ફિલ્મ
- ભાગલા પરની ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો
મુંબઈ: શર્વરી વાઘ અને દિલજીત દોસાંઝની ફિલ્મ 'મૈ વાપસ આઉંગા' આગામી તા. ૧૨મી જૂને રીલિઝ થશે એવી જાહેરાત કરાઈ છે. ઈમ્તીયાઝ અલીનો દિલજીત સાથેનો 'અમરસિંઘ ચમકીલા' પછી આ બીજો પ્રોજેક્ટ છે.
ફિલ્મમાં વેદાંગ રૈના તથા નસીરુદ્દિન શાહ સહિતના કલાકારો પણ ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મની વાર્તા ભાગલા પછીની ઘટનાઓ આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મનું સંગીત એ આર રહેમાને તૈયાર કર્યું છે.
તાજેતરમાં ફિલ્મનું ટીઝર રીલિઝ કરાયું હતું. તે સાથે ફિલ્મની થિયેટ્રિકલ રીલિઝ કન્ફર્મ કરવામાં આવી હતી.


