બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી નહિ યોજવાનો ખેલ,એક ડિરેક્ટરને નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીમાં ચાર મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં તમામ ૧૩ ડિરેક્ટર ભાજપના ચૂંટાયા હોવા છતાં ચેરમેનની ચૂંટણી નહિ કરવાનો ખેલ ચાલી રહ્યો છે,જેનું કારણ હાઇકોર્ટ મારફતે ચૂંટણી યોજવી પડી તે બાબતે હોવાનું કહેવાય છે.
બીજીતરફ બરોડા ડેરીના ડિરેક્ટર સતિષ નિશાળિયાને જિલ્લા રજિસ્ટ્રાર તરફથી ગઇ તા.૬ઠ્ઠીએ એક નોટિસ આપવામાં આવી છે.જેમાં તેમની નિશાળિયા દૂધ મંડળીમાં વહીવટી ક્ષતિઓના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે.
આ નોટિસમાં નિશાળિયા દૂધ મંડળી દ્વારા ગંધારા શુગર પાસે રૃ.૧૧ હજારની વસૂલાત નહિ કરવાનો,નિયમો મુજબ દૂધ નહિ ભરનાર સભ્યોને વ્યવસ્થાપક કમિટીમાં ચાલુ રાખવાના,વર્ષ-૨૦૧૫માં પૂરી થયેલી થાપણ રીન્યૂ નહિ કરવા જેવા આરોપો લગાવાયા છે અને આવતીકાલે તા.૨૧મીએ તેની સુનાવણી રાખવામાં આવી છે.









