Entertainment

શાહિદ અદલબદલ ફિલ્મમાં જાહ્નવીનો હીરો બન્યો હોવાની વાત ખોટી

By GS Team
3 Jul 20261 min read
TukuTouch Logo
અમિત શર્માની કોમેડી ફિલ્મ 'અદલબદલ'માં શાહિદ કપૂર કામ કરશે તેવી વાતો ખોટી ઠરી છે. અહેવાલો મુજબ, શાહિદ આ ફિલ્મનો હિસ્સો નથી અને કાસ્ટિંગ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. અગાઉ શાહિદે ફી ઉપરાંત નફામાં હિસ્સો માંગ્યાની અને જાહ્નવી કપૂર પણ ફિલ્મમાં હોવાની ચર્ચા હતી. ઓક્ટોબરથી શૂટિંગ શરૂ થવાની વાત પણ રદ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહિદ અદલબદલ ફિલ્મમાં જાહ્નવીનો હીરો બન્યો હોવાની વાત ખોટી

અમિત શર્માની ફિલ્મમાં કાસ્ટિંગ હજુ બાકી
અદલ બદલમાં કામ કરવાના શાહિદે ફી ઉપરાંત નફામાં હિસ્સો માગ્યાની વાત ચગી હતી

મુંબઈ : તાજેતરમાં અમિત રવિન્દ્રનાથ શર્માની કોમેડી ફિલ્મ 'અદલબદલ'માં શાહિદ કપૂર કામ કરવાનો છે તેવી વાતો ચાલી હતી પણ હવે આ બધી વાતો ખોટી પુરવાર થઇ રહી છે. નવા અહેવાલ અનુસાર શાહિદ કપૂર આ ફિલ્મનો હિસ્સો નથી. આ ફિલ્મના કાસ્ટિંગ બાબતે હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તાજેતરમાં એવા અહેવાલો ચગ્યા હતા કે આ કોમેડી ફિલ્મમાં શાહિદ કપૂર અને જાહ્નવી કપૂર કામ કરવાના છે અને ફિલ્મમાં કામ કરવાના શાહિદ કપૂરે ફી તથા ફિલ્મના નફામાં હિસ્સો માંગ્યો છે. ઓક્ટોબરથી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થવાનું છે. પરંતુ આ બધી વાતો ખોટી નીકળી છે. આ કોમેડી ફિલ્મ અદલબદલમાં હિરો-હિરોઇનના આત્માની અદલી બદલી થઇ જાય છે તેવો પ્લોટ છે.
અમિત શર્માની બીજી ફિલ્મ 'બધાઇ હો' હીટ નીવડી હતી. એ પછી તેણે અજય દેવગણ જેમાં હીરો હતો તે 'મૈદાન' પણ નિર્દેશિત કરી હતી. મૈદાન એ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક હતી.