Entertainment

રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા

By GS Team
19 Jun 20261 min read
રામ ગોપાલ વર્મા દયા નાયકની બાયોપિક બનાવે તેવી ચર્ચા

'સત્યા' અને 'કંપની' જેવી સફળ ક્રાઇમ થ્રીલર્સ આપનારા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ક્રાઇમ થ્રીલર બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. આ વખતે રામ ગોપાલ વર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયકની બાયોપિક બનાવવા માટે થનગની રહ્યા છે. હાલ આ ફિલ્મની પટકથા ડેવલપ કરવામાં આવી રહી છે.  મુંબઇના અંડરવર્લ્ડ વિશે સફળ ફિલ્મ બનાવનારા રામ ગોપાલ વર્માએ ૨૦૦૨માં 'કંપની' નામની ફિલ્મ બનાવી હતી. અજય દેવગણ, વિવેક ઓબેરોય અને મોહનલાલને લઇને બનાવવામાં આવેલી કંપની ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખી ૨૦૧૦માં પણ 'કંપની ટુ' ફિલ્મ બનાવવાની ચર્ચા થઇ હતી. હવે સવાલ એ છે કે દયા નાયકની ફિલ્મ અલગ હશે કે તે પણ કંપની યુનિવર્સનો હિસ્સો હશે એ અટકળનો વિષય છે. 

હાલ જે રીતે જાતજાતના યુનિવર્સ બનાવી સફળ ફિલ્મોનો કસ કાઢવાનો ધંધો ચાલ્યો છે તે જોતાં રામગોપાલ વર્મા પણ તેમની કંપનીનું યુનિવર્સ બનાવે તો તેમાં કોઇ નવાઇ નથી. રામ ગોપાલ વર્માની ૨૦૨૪માં 'વ્યૂહમ' આવ્યા પછી કોઇ ફિલ્મ આવી નથી.