Entertainment

રામાયણના પહેલા ભાગમાં મારો રોલ નજીવો છે : કાજલ અગ્રવાલ

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી કાજલ અગ્રવાલ 'રામાયણ'ના પ્રથમ ભાગમાં મંદોદરીનો નાનો રોલ ભજવશે. તેણે સ્વીકાર્યું કે લંકાનો ભાગ ઓછો હોવાથી તેની ભૂમિકા મર્યાદિત છે. રણબીર કપૂર રામ, સાંઈ પલ્લવી સીતા અને યશ રાવણના પાત્રમાં છે. બે ભાગમાં બનતી આ ફિલ્મ આ વર્ષે અને આવતા વર્ષે દિવાળીએ રજૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણના પહેલા ભાગમાં મારો રોલ નજીવો છે : કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ ફિલ્મમાં મંદોદરીની ભૂમિકામાં
મુંબઈ: કાજલ અગ્રવાલે 'રામાયણ'ના પહેલા ભાગમાં પોતાની ભૂમિકા તદ્દન નજીવી હોવાની વાત સ્વીકારી છે. તે ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહી છે.
પ્રોજેક્ટ વિશે વાત કરતા કાજલે જણાવ્યું કે તેણે માત્ર પ્રથમ ભાગ માટે શૂટ કર્યું છે અને પ્રારંભિક પ્રકરણોમાં લંકાનો હિસ્સો નાનો હોવાથી સ્વાભાવિકપણે મંદોદરી તરીકે તેની ભૂમિકા નાની રહેવાની છે. જોકે, તેણે કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાથી મને ઘણું શીખવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 'રામાયણ'માં અન્ય અગ્રણી કલાકારોની સાથે રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મ આ વર્ષે અને આવતા વર્ષે દિવાળી દરમ્યાન રજૂ થવાની છે.
કાજલ હવે ૨૪ જુલાઈએ રજૂ થનારી 'ઈન્ડિયા સ્ટોરી'માં પણ જોવા મળશે.