વડોદરા: ઓરસંગ નદીમાંથી અચાનક બહાર આવેલો મગર આધેડને અંદર ખેંચી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ઓરસંગ નદીના કાંઠેથી મગર આધેડને ખેંચી જતા તેનું મોત નીપજ્યું છે. ડભોઇ તાલુકાના પારાગામના ઓરસંગ નદી કાંઠાની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે.
શનિવારની સાંજે નદી કિનારે આ આઘેડ માછીમારી કરતા હતા ત્યારે મગરે શિકાર કર્યો હતો. આ વિસ્તારમાં વારંવાર મગરના હુમલાની ઘટના છતા લોકો લાપરવાહ થયા છે. ડભોઇ વનવિભાગ પારાગામ, ભાલોદરા,ગામડી જેવા ઓરસંગ નદીના કાંઠે માછીમારી પર પ્રતિબંધ લાદી કડક અમલવારી કરે તે જરૂરી મૃતકનું નામ બજારીયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક ગામ-સુગઠ તા-સોઢંવા જી-અલીરાજપુર (મધ્ય પ્રદેશ) જાણવા મળ્યું છે. મોતને ભેટનાર આધેડ પારાગામના ખેડૂત અલ્પેશ ગોવિંદભાઈ બારીયાને ત્યાં મજૂરી અર્થે રહેતો હતો. મગરના હુમલામાં આધેડને છાતી અને બરડાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. મગર આધેડને મોંમાંથી છોડી જતો રહેતા મૃતદેહ બહાર કઢાયો હતો.









