Entertainment

ઈમરાને એક દાયકા બાદ સ્ક્રીન પર પુનરાગમન કન્ફર્મ કર્યું

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
અભિનેતા ઇમરાન ખાને એક દાયકા બાદ પુનરાગમનની જાહેરાત કરી છે. તેમની આગામી ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'નું શૂટિંગ મુંબઈમાં પૂર્ણ થયું છે. હાલ પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે, જે વર્ષના અંત પહેલાં રજૂ થશે. 2015માં 'કટ્ટીબટ્ટી' પછી ઇમરાનની આ નવી ફિલ્મમાં ગુરફતેહ પિરઝાદા તેની હિરોઈન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈમરાને એક દાયકા બાદ સ્ક્રીન પર પુનરાગમન કન્ફર્મ કર્યું

મુંબઈ : ઇમરાનખાને એક દાયકા બાદ પોતાના પુનરાગમનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેની આગામી ફિલ્મ 'અધૂરે હમ અધૂરે તુમ'નું શૂટિંગ પુરૂ થઇ ગયું છે અને હાલ ચાલી રહેલું તેનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પુરૂ થતાં જ તેને વર્ષના અંત પહેલાં રજૂ કરી દેવામાં આવશે.
૨૦૦૮માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જાને તુ યા જાન'ે માં હિરોઇન જેનેલિયા ડિસોઝા સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કદમ મુકનારાં ઇમરાનખાનની છેલ્લી ફિલ્મ 'કટ્ટીબટ્ટી' ૨૦૧૫માં આવી હતી. જેને નિખિલ અડવાણીએ નિર્દેશિત કરી હતી અને આ ફિલ્મમાં તેની સાથે કંગના રનૌત પણ હતી.
ઇમરાનખાને તેના પુનરાગમનની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતાં જણાવ્યું હતું કે આ એક પરિપક્વ રોમાન્ટિક કોમેડી છે. જેમાં મેં મારી હાલની વયને અનુરૂપ ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ઇમરાનખાનની હિરોઇન ગુરફતેહ પિરઝાદા છે. આ ફિલ્મને આ વર્ષના અંતે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.