Entertainment

અરિજિતની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
લોકપ્રિય ગાયક અરિજિત સિંહે 'આવારાપન 2' ફિલ્મ માટે નિવૃત્તિ પાછી ખેંચી છે. તેમનું નવું ગીત "યેહ આવારાપન" ૨૧ જુલાઈએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થશે. વિશેષ ફિલ્મ્સ સાથે અરિજિતના ૧૫ વર્ષ જૂના સંબંધો છે. 'મર્ડર 2' થી કારકિર્દી શરૂ કરનાર અરિજિતે, રશ્મિ વિરાગ લિખિત અને અમલ મલિક દ્વારા સંગીતબદ્ધ આ ગીત ગાયું છે. ઇમરાન હાશ્મી અભિનિત આ ફિલ્મ ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરિજિતની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

આવારપન ટુ ફિલ્મ માટે નિવૃત્તિ પાછી ખેંચી
વિશેષ ફિલ્મ્સની જ મર્ડર ટુ સાથે અરિજિતે કેરિયર શરુ કરી હતી

મુંબઇ : એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત આવતીકાલે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થશે. 'આવારાપન ટુ' ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવશે. 'આવારાપન ટ'ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ ગીત અરિજિતસિંહે ગાયું છે.
ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત આ ફિલ્મ 'આવારાપન ટુ '૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થવાની છે. ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કરે કર્યું છે. વિશેષ ફિલ્મ્સની 'મર્ડર ટુ' ફિલ્મમાં ફિર મોહબ્બત ગીત ગાઇને અરિજિતસિંહે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.