Baroda

નેધરલેન્ડ અને નોર્વેના વિઝાના નામે બે યુવકો સાથે 2.45 લાખની ઠગાઇ

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના નટુભાઈ સર્કલ નજીક રિધાન ઇમિગ્રેશનના વિઝા કન્સલટન્ટ કાજલ આદિત્ય જોષીએ બે યુવકો સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને 2.45 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. આણંદના સ્નેહલ વ્યાસ પાસેથી નેધરલેન્ડ, નોર્વે અને સ્પેનના વિઝાના નામે 1.25 લાખ તથા સાવલીના કિશોરભાઈ મકવાણા પાસેથી 1.20 લાખ પડાવ્યા હતા. ગોરવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેધરલેન્ડ અને નોર્વેના વિઝાના નામે બે યુવકો સાથે 2.45 લાખની ઠગાઇ

વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારના વિઝા કન્સલટન્ટે બે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે રૃ.૨.૪૫ લાખની ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાઇ છે.
આણંદના ગણેશચોકમાં રહેતા ટૂર ઓપરેટર સ્નેહલ વ્યાસે પોલીસને કહ્યું છે કે,મારે વિદેશમાં નોકરી કરવા જવું હોવાથી વિઝા કન્સલટન્ટની તપાસ કરતાં જાહેરાત જોઇને વડોદરાના નટુભાઇ સર્કલ પાસે મિરાજ એપાર્ટમેન્ટમાં આવેલા રિધાન ઇમિગ્રેશનની કાજલ આદિત્ય જોષીનો સંપર્ક કર્ય ોહતો.
કાજલે નેધરલેન્ડ મોકલવા માટે રૃ.૪ લાખ નક્કી કર્યા હતા.જેથી મેં તેમને રૃ.૫૦ હજાર ચૂકવ્યા હતા.ત્યારબાદ તેણે નોર્વેના વિઝા મળી શકે તેમ છે તેમ કહી બીજા ૭૫ હજાર લીધા હતા.પરંતુ તેના પણ વિઝા મળ્યા નહતા.આ પછી સ્પેનના વિઝાના નામે વાત કરી હતી.જેથી મેં રૃપિયા પરત માંગતા તેણે રૃપિયા આપ્યા નહતા કે પ્રોસેસ પણ કર્યો નથી.
આવી રીતે સાવલીના કિશોરભાઇ મકવાણા સાથે પણ રૃ.૧.૨૦લાખ પડાવ્યા હતા.જેથી ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.