Baroda

વડોદરામાં વરસાદમાં ફતેપુરા અને ચોખંડીમાં બે મકાન ધરાશાયી,ફતેપુરામાં ત્રણ વાહનો દબાયા,રસ્તો બંધ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ભારે વરસાદ વચ્ચે ચાર દરવાજા નજીક બે જર્જરિત મકાનો ધરાશાયી થયા. ફતેપુરા રોડ પર એક મકાન પડતાં 3 વાહનો દબાયા હતા, જ્યારે ચોખંડી વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિર પાસે મકાન બેસી જતાં ભય ફેલાયો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કોર્પોરેશનની 800થી વધુ નોટિસો છતાં જર્જરિત મકાનોનો ભય યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વરસાદમાં ફતેપુરા અને ચોખંડીમાં બે મકાન ધરાશાયી,ફતેપુરામાં ત્રણ વાહનો દબાયા,રસ્તો બંધ

વડોદરામાં વરસાદ દરમિયાન ચાર દરવાજાની નજીકમાં બે જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવ બન્યા છે.આ પૈકી એક ફતેપુરા રોડ પરના બનાવમાં ત્રણ વાહનો દબાયા હતા.
શહેરમાં વરસાદ દરમિયાન ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં જર્જરિત મકાનોનું જોખમ વધી જતું હોય છે.કોર્પોરેશન દ્વારા ૮૦૦થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય છે.
આજે ભારે વરસાદ વચ્ચે ચાર દરવાજા પાસેના ચોખંડી વિસ્તારમાં ઓમકારેશ્વર મંદિર પાસે એક જર્જરિત મકાન ધડાકાભેર બેસી જતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.
ફતેપુરા મેઇન રોડ પર ચાંપાનેર દરવાજા પાસે પણ એક જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતાં નીચે પાર્ક રિક્ષા અને બે ટુવ્હીલરને નુકસાન થયું હતું.આ બનાવ બાદ એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી વરસાદમાં ટ્રાફિક જામના દ્શ્યો જોવા મળ્યા હતા.