Entertainment

લવ એન્ડ વોરના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં સંજય લીલા ભણશાળી તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'લવ એન્ડ વોર' માટે નવતર પ્રચાર કરશે. સામાન્ય પોસ્ટર કે ટીઝરને બદલે, તેઓ દર્શકોને ફિલ્મનો ઇમર્સિવ અનુભવ કરાવશે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનીત આ પિરિયડ ડ્રામાનો માહોલ પહેલાં જ રજૂ કરીને ભણશાળી પ્રેક્ષકોને થિયેટરમાં આકર્ષશે. આ રણબીરની બીજી મોટી ફિલ્મ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લવ એન્ડ વોરના પ્રમોશન માટે ટીઝર કે મોશન પોસ્ટર નહિ બને

મુંબઇ : સામાન્ય રીતે ફિલ્મની જાહેરાત કરવામાં આવે ત્યારે ફિલ્મનું પોસ્ટર કે ટીઝર રીલિઝ કરવામાં આવે છે. પરંતુ સંજય લીલા ભણશાળી તેમની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ 'લવ એન્ડ વોર'ના પ્રમોશન માટે ઇમર્સિવ એક્સપરિયન્સની તૈયારી કરી રહ્યા છે. ભણશાળી તેમની ફિલ્મના માહોલનો પરિચય દર્શકોને કરાવી તેમને થિયેટર્સમાં આકર્ષવાનો નવતર પ્રયાસ કરશે.
'લવ એન્ડ વોર'માં રણબીરકપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ પિરિયડ ડ્રામાનેે નિર્દેશક સંજય લીલા ભણશાળી એક ખાસ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવા માંગે છે. તેઓ ફિલ્મનું ટીઝર કે પ્રમોશનલ વિડિયો રજૂ કરવાને બદલે અલગ જ માહોલ રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રણબીર કપૂરની આ બીજી મોટી ફિલ્મ છે. 'રામાયણ ભાગ વન'ના ટ્રેલરની ઉત્કંઠાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હવે સંજય લીલા ભણશાળીની પિરિયડ ફિલ્મનો ઇમર્સિવ એક્સપરિયન્સ રજૂ થવા સાથે રણબીરનું નામ વધારે ગાજવા લાગશે.