Baroda

સીએનજીના સતત વધતા ભાવથી રીક્ષાચાલકો પરેશાન

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
નવલખી મેદાન ખાતે 250 રીક્ષાચાલકોએ CNGના ભાવવધારા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વધતા ગેસના ભાવ અને જૂના ભાડાને કારણે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. ચાલકોએ સબસીડીવાળા CNG અને રીક્ષા ભાડામાં તાત્કાલિક વધારાની માંગ કરી. સફેદ નંબર પ્લેટવાળા ખાનગી વાહનો દ્વારા થતા ગેરકાયદે મુસાફર પરિવહન સામે પણ રોષ ઠાલવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

સીએનજીના સતત વધતા ભાવથી રીક્ષાચાલકો પરેશાન

તાજેતરમાં સીએનજીના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં આજે રીક્ષાચાલકોએ  વિરોધ પ્રદર્શિત કર્યો છે.

નવલખી મેદાન ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં ૨૫૦ જેટલા રીક્ષાચાલકો જોડાયા હતા. વધતા ગેસના ભાવ અને હાલના ઓછા ભાડા વચ્ચે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો હોવાનું જણાવી ચાલકોએ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

રીક્ષાચાલકોના આગેવાનોનું કહેવું છે કે પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ છોડીને સીએનજી અપનાવ્યો હતો. તે સમયે સીએનજીના ભાવ ઓછા હોવાથી તેનો લાભ મળતો હતો, પરંતુ હવે ભાવ સતત વધતાં સીએનજી લગભગ પેટ્રોલ સમકક્ષ મોંઘું બની ગયું છે. બીજી તરફ રીક્ષાના ભાડામાં વધારો થયો નથી.

આગેવાનોની માગ છે કે રીક્ષા ભાડામાં વધારો કરવા માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવામાં આવે. ઉપરાંત, વ્યાવસાયિક રીક્ષા ચાલકોને સબસીડીના દરે સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેમનો આર્થિક બોજ ઘટે અને તેનો લાભ મુસાફરોને પણ મળી શકે.

આ દરમિયાન રીક્ષાચાલકોએ સફેદ નંબર પ્લેટ ધરાવતા ખાનગી વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોનું પરિવહન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.