આખરે 4 મહિના બાદ અટકળોનો અંત,બરોડા ડેરીના ચેરમેનની ચૂંટણી 4 ઓગષ્ટે યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા ડેરીમાં જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ચેરમેનની ચૂંટણી આખરે તા.૪થી ઓગષ્ટે જાહેર કરવામાં આવી છે.
બરોડા ડેરીની તા.૧૮મી માર્ચે ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી.પરંતુ તેમાંથી ૯ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને બાકીની ચાર બેઠકો પર પણ ભાજપના જ ડિરેક્ટરો ચૂંટાયા હતા.આ પૈકી ૧૨ ડિરેક્ટર રિપીટ થયા હતા.જ્યારે ડેસર ઝોનમાંથી સાવલીના ધારાસભ્યના નિકટના સૂરપાલસિંહ પરમાર વિજયી બન્યા હતા.
જો કે આંતરિક વિખવાદને કારણે ચેરમેનની ચૂંટણી જાહેર કરાતી નહતી.જેથી પશુપાલકો અને રાજકીય મોરચે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.આખરે ડેરીના ચેરમેનની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરાતાં ભાજપ દ્વારા સેન્સ લઇ મેન્ડેટ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન નિયુક્ત કરવામાં આવશે.









