અમદાવાદ: કરિયાણા વેપારી પર હુમલાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, 4 લાખના વિવાદમાં આપી હતી 30 હજારની સોપારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવેકાનંદનગરમાં કરિયાણાના વેપારી નંદુકુમાર મુદ્દેયાર પર થયેલા જીવલેણ છરી હુમલાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે અગાઉ હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડ્યા બાદ, હવે આ સમગ્ર ષડયંત્રના મુખ્ય કાવતરાખોર રાજેશકુમાર સાંકળભાઈ મહીડાની પણ ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ સાથે જ આ સનસનીખેજ કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.
આર્થિક લેવડદેવડનો વિવાદ હુમલાનું કારણ!
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ આર્થિક લેવડદેવડનો વિવાદ જવાબદાર હતો. મુખ્ય સૂત્રધાર રાજેશકુમારે વેપારી નંદુકુમાર પાસે પોતાનું મકાન ગીરવે મૂકીને રૂપિયા 4 લાખ ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણીને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ માથાકૂટનો કાયમી અંત લાવવા માટે રાજેશે નંદુકુમાર પર જીવલેણ હુમલો કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું.

પોતાના ઇરાદાને અંજામ આપવા માટે રાજેશે સાગરીતોને રૂપિયા 30 હજારની સોપારી આપીને આ ગુનાને અંજામ અપાવ્યો હતો. જો કે, ભોગ બનનારના ડાઇંગ ડિકલેરેશન (મૃત્યુ પહેલાં આપેલું નિવેદન) અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આખી સોપારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.









