અમદાવાદ: સરખેજમાં યુવકનો આપઘાત, મોત પહેલા વોટ્સએપ સ્ટેટ્સ મૂકી બે લોકો સામે કર્યો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલ નજીક આવેલા દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નામના વ્યક્તિએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સુરેશભાઈ સરખેજ ઉજાલા સર્કલ ખાતે સાવરિયા મોબાઇલ એસેસરીઝ નામથી મોબાઇલ એસેસરીઝની લારી ચલાવતા હતા. ઘટના પહેલાં સુરેશભાઈએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં કેટલાક મેસેજો અને બે વ્યક્તિઓના ફોટા શેર કર્યા હતા.
સરખેજના ઉજાલા સર્કલ નજીક મોબાઈલ એસેસરીઝની લારી ચલાવતા યુવકે આપઘાત કર્યો
સુરેશભાઈએ વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હતું કે, 'મારા મૃત્યુના જવાબદાર નીચે આપેલા ફોટાવાળા વ્યક્તિઓ છે.' સાથે જ અન્ય એક સ્ટેટસમાં મૃતકે ભાજપના ધારાસભ્યને સંબોધીને પોતાના મૃત્યુ પાછળ જવાબદાર વ્યક્તિઓ સામે ન્યાય અપાવવાની અપીલ કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, સ્ટેટસમાં કરાયેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને આ મામલે સંબંધિત વ્યક્તિઓનો પક્ષ પણ હજુ સુધી સામે આવ્યો નથી.
મૃતકે આ પગલું કયા કારણોસર ભર્યું, તેની પાછળનું સાચું કારણ શું છે અને વોટ્સએપ સ્ટેટસમાં કરાયેલા દાવાઓમાં કેટલું સત્ય છે, તે અંગે હવે સરખેજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.









