Ahmedabad

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ 35 FIR, 1163 સાક્ષી અને 7.88 લાખ પાનાના દસ્તાવેજ... જાણો કેમ છે આ સીમાચિહ્નરૂપ ચુકાદો

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં, 26 જુલાઈની રાત્રે 70 મિનિટમાં 21 સ્થળોએ વિસ્ફોટો થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સ્પેશિયલ કોર્ટે 2022માં 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. 'સિમી'ના સફદર નાગોરી સહિતના આતંકીઓને UAPA હેઠળ સજા મળી હતી. આ કેસ હાલ હાઈકોર્ટમાં 7.88 લાખ પાનાના રેકોર્ડ સાથે સમીક્ષા હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ 35 FIR, 1163 સાક્ષી અને 7.88 લાખ પાનાના દસ્તાવેજ... જાણો કેમ છે આ સીમાચિહ્નરૂપ ચુકાદો

Ahmedabad Serial Blast Case: 26 જુલાઈ 2008ની એ કાળી રાત્રે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે દેશની સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી હતી. માત્ર 70 મિનિટમાં હૉસ્પિટલો સહિત 21 જગ્યાએ થયેલા ધડાકાઓએ આપણી આતંકવાદ સામેની લડાઈ, ગુપ્તચર વિભાગ અને સુરક્ષા પદ્ધતિઓ આખી બદલી નાખી. કાયદાકીય રીતે પણ આ કેસની ચોક્કસ તપાસ એક આદર્શ નમૂનો બની ગઈ, જેમાં પ્રતિબંધિત સંગઠન 'સિમી'(SIMI)ના આતંકીઓને સજા અપાવવા માટે યુએપીએ(UAPA) કાયદાનો કડક ઉપયોગ કરાયો હતો.

હૉસ્પિટલોને પણ નિશાન બનાવી, 56 નિર્દોષોના લીધા હતા જીવ

એ સાંજે કાવતરાખોરોએ એટલી ક્રૂરતા દાખવી કે પહેલા ધડાકા કર્યા અને પછી જ્યારે ઘાયલોને હૉસ્પિટલ લવાયા, ત્યારે હૉસ્પિટલોને નિશાન બનાવીને બીજા તબક્કાના બ્લાસ્ટ કર્યા જેથી કટોકટી સેવાઓ ખોરવાઈ જાય અને વધુ મોત થાય. ફાંસીની સજા પામેલા મુખ્ય આરોપીઓમાં 'સિમી'નો પૂર્વ જનરલ સેક્રેટરી સફદર નગોરી પણ સામેલ છે. આ હુમલામાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સ્પેશિયલ કોર્ટનો 2022નો ચુકાદો અને મહત્ત્વના આંકડા

એક દાયકાથી વધુ ચાલેલી આ કાનૂની લડાઈમાં 8 ફેબ્રુઆરી 2022ના રોજ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ કેસના આંકડા જ ન્યાયતંત્રની મથામણ દર્શાવે છે. જેમ કે…

  • 35 FIR દાખલ થઈ અને 58 ચાર્જશીટ રજૂ કરાઈ.
  • 1163 સાક્ષીઓની જુબાનીઓ લેવામાં આવી.
  • 78 આરોપીમાંથી 49ને દોષિત જાહેર અને 28 નિર્દોષ છૂટ્યા.
  • 18 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટે 38 દોષિતોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા. આ સાથે જ પીડિતોને વળતરનો પણ આદેશ કરાયો.

7.88 લાખ પાનાનો રૅકોર્ડના આધારે નિર્ણય

નિયમ મુજબ, જ્યારે પણ સ્પેશિયલ કોર્ટ ફાંસીની સજા સંભળાવે, ત્યારે હાઇકોર્ટની મંજૂરી (CrPC કલમ 366 હેઠળ ક્રિમિનલ કન્ફર્મેશન) જરૂરી હોય છે. આ કેસ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો ત્યારે તેના દસ્તાવેજો આશરે 7.88 લાખ પાનાના હતા! હાલમાં હાઇકોર્ટની બેન્ચ આ તમામ પુરાવા અને ફાંસીની સજાની કાનૂની સમીક્ષા કરી રહી છે, જે ભારતના ઇતિહાસની સૌથી જટિલ ન્યાયિક પ્રક્રિયાઓમાંથી એક છે.

એ દિવસે હૉસ્પિટલોને પણ નિશાન બનાવાઈ હતી

26 જુલાઇ, 2008ની સાંજે, અમદાવાદ શહેરમાં માત્ર 70 મિનિટના ગાળામાં 21 બોમ્બ વિસ્ફોટો થતાં સમગ્ર શહેર ચોંકી ઉઠ્યું હતું અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ હુમલામાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200 થી વધુને ઈજા થઈ હતી. આ હુમલાનું આયોજન, ખાસ કરીને હૉસ્પિટલોને નિશાન બનાવીને કરાયેલા બીજા તબક્કાના વિસ્ફોટો, મૃત્યુઆંક વધારવા અને કટોકટી સેવાને ખોરવી નાખવા માટે કરાયું હતું.

આ ઘટનાની તપાસ એક દાયકાથી વધુ સમય સુધી ચાલી હતી, જે એક લાંબા કાયદાકીય ટ્રાયલમાં પરિણમી અને તે ભારતીય ન્યાયતંત્ર માટે એક નિર્ણાયક ક્ષણ બની રહી.