પૃથ્વી પર માણસ કેવી રીતે આવ્યો?

By GS Team
23 Nov 20181 min read
This article was originally published on 23 Nov 2018
પૃથ્વી પર માણસ કેવી રીતે આવ્યો?

પૃથ્વી પર ડાયનોસોરનો નાશ થયા બાદ નાના સસ્તન પ્રાણીઓનું વર્ચસ્વ વધ્યું. તે સમયના પ્રાણીઓ માંસાહારી અને ચાર પગે ચાલનારાં હતા.

યુરેશિયામાં વિરાટ કદના હાથી અને આફ્રિકન વિસ્તારમાં વાનરો બન્યા.

માણસની ઉત્પતિ વાનરમાંથી થઈ હતી તે સર્વ સ્વીકૃત સિધ્ધાંત છે. પૃથ્વીપર જલવાયુ પરિવર્તનથી વાનરો ઝાડ ઉપરથી જમીન પર વસવા લાગ્યા અને 

પર્યાવરણને અનુકૂળ થવા લાગ્યા. પૃથ્વી પરના વાતાવરણને અનુકુળ થવા માટે તેમના શરીરમાં ફેરફાર થવા લાગ્યા. આ ફેરફાર ચહેરા અને માથામાં થયા. ચહેરા ચપટા થયા. દાંતની શ્રેણી બની. તેથી ખોરાકની પસંદગી કરવા લાગ્યા.

કેટલાક વાનરો બે પગે ચાલતા થયા અને હાથીનો  ઉપયોગ કરવા લાગ્યા. તેમના મગજ શક્તિશાળી બનતા ગયા. તેઓ ગુફામાં રહેતા થયા અને ખોરાક શોધવા, શરીરનું રક્ષણ કરવા અને ઉપાયો કરવા લાગ્યા. આ પ્રથમ માનવ હોમો હેબિલિસ કહેવાય છે. ત્યારબાદ હોમો ઇરેકટસ, નિઅનડર્થલ, બન્યાં.

આજનો માણસ હોમો સેપિયન્સનો વંશજ છે. આરંભકાળનો માણસ માંસાહારી હતો. શરીરને ચામડાથી ઢાંકતો. કાળક્રમે બુધ્ધિનો વિકાસ થયો અને સામાજિક બનવા લાગ્યો. લગભગ ૧૦ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ થયો. સંસ્કૃતિની શરૂઆત માનવજીવન માટે ક્રાંતિકારી હતી. માણસ ખેતી કરતાં શીખ્યો અને ત્યાર બાદ વિકાસની વાત જાણીતી છે.