Surat

સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પશ્ચિમ રેલવેએ મોટી જાહેરાત કરી છે. સુરતથી ઉદયપુર સિટી સુધી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (નંબર 26903/26904) શરૂ થશે. અઠવાડિયામાં 6 દિવસ દોડનારી આ ટ્રેન મંગળવારે બંધ રહેશે. અગાઉની ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન હવે બંધ કરાઈ છે. ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત-ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ: અમદાવાદથી રાજસ્થાન જતી આ ટ્રેન કાયમી ધોરણે બંધ, જાણો ટાઈમ-ટેબલ અને સ્ટેશન

Surat Udaipur Vande Bharat Express Train: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી ઉદયપુર સિટી વચ્ચે નવી સેમી-હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડે આ નવી ટ્રેન (નંબર 26903/26904) ના પ્રારંભ માટે લીલી ઝંડી આપી દીધી છે.

અઠવાડિયામાં 6 દિવસ દોડશે ટ્રેન

આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે દર મંગળવારે તેની સેવાઓ બંધ રહેશે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે 8 કોચની રેક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટ્રેનનું પ્રાઈમરી મેન્ટેનન્સ સુરત ખાતે જ કરવામાં આવશે.

image (3).png

ઉદયપુર-અસરવા વંદે ભારત ટ્રેન કરાઈ બંધ

આ નવી વ્યવસ્થાના ભાગરૂપે રેલવે મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અગાઉથી દોડતી ટ્રેન નંબર 26963/26964 ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને કાયમી ધોરણે બંધ (Discontinue) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના સ્થાને હવે આ નવી સુરત-ઉદયપુર ટ્રેન દોડાવવામાં આવશે.

ટ્રેનનું સમયપત્રક

સુરતથી ઉદયપુર સિટી (ટ્રેન નં. 26903) સુરત સ્ટેશનથી સવારે 06:10 વાગ્યે ઉપડશે અને બપોરે 13:40 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. જ્યારે ઉદયપુર સિટીથી સુરત (ટ્રેન નં. 26904) ઉદયપુર સિટીથી બપોરે 15:35 વાગ્યે ઉપડશે અને રાત્રે 23:00 વાગ્યે સુરત સ્ટેશને પરત ફરશે.

ગુજરાતના આ મહત્ત્વના સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

આ ટ્રેન બંને રૂટ પર મુસાફરોની સુવિધા માટે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.

  • ભરૂચ
  • વડોદરા
  • આણંદ
  • મણિનગર
  • અસરવા
  • હિંમતનગર
  • શામળાજી રોડ
  • ડુંગરપુર
  • ઝાવર

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, આ ટ્રેન માટેનું એડવાન્સ બુકિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેની તારીખ અલગથી જાહેર કરાશે. પ્રથમ દિવસે આ ટ્રેનને ખાસ ઉદ્ઘાટન સેવા તરીકે દોડાવવામાં આવી શકે છે .