Get The App

બેરોજગારો વંદા જેવા જે સિસ્ટમ પર હુમલા કરે છે : સીજેઆઇ

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
બેરોજગારો વંદા જેવા જે સિસ્ટમ પર હુમલા કરે છે : સીજેઆઇ 1 - image

- સીનિયરનો દરજ્જો માગવું વકીલને ભારે પડયું 

- આવા લોકો મીડિયા, સોશિયલ મીડિયા કે આરટીઆઇ એક્ટિવિસ્ટ બનીને હુમલા કરે છે : મુખ્ય ન્યાયાધીશ 

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું છે કે દેશના બેરોજગાર યુવાનો વંદા જેવા છે જેઓ મીડિયામાં જાય અથવા એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે. સુપ્રીમમાં એક મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કરેલી આ ટિપ્પણીની બાદમાં ભારે ચર્ચા થઇ હતી.

દિલ્હી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, વકીલે એવી માગ કરી હતી કે દિલ્હી હાઇકોર્ટ તેમને સીનિયર એડવોકેટનો દરજ્જો આપે જે માટે સુપ્રીમ કોર્ટ આદેશ જારી કરે. જોકે અરજદાર વકીલે સોશિયલ મીડિયા પર જે ભાષાનો ઉપયોગ એક પોસ્ટમાં કર્યો હતો તેનાથી સુપ્રીમ કોર્ટ ભારે નારાજ થઇ હતી.