India

ખરાબ રસ્તા, ટ્રાફિક અને ખાડાથી કંટાળેલી 20 કંપની જગ્યા છોડવાની તૈયારીમાં, પુણેમાં 4000 નોકરી પર સંકટ

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
પુણેના ચાકણ MIDCમાં ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામથી કંટાળીને 20 જેટલી નાની-મધ્યમ કંપનીઓ સ્થળાંતરની તૈયારીમાં છે. આનાથી 4,000 નોકરીઓ અને ₹1,000 કરોડના વ્યવસાય પર અસર થશે. મર્સિડીઝ-બેન્ઝ જેવી મોટી કંપનીઓ હોવા છતાં, 14 મહિનાથી ફરિયાદો છતાં કોઈ ઉકેલ ન મળતાં ખંડાલા MIDC તરફ પ્રયાણની વાટાઘાટો ચાલી રહી છે. સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખરાબ રસ્તા, ટ્રાફિક અને ખાડાથી કંટાળેલી 20 કંપની જગ્યા છોડવાની તૈયારીમાં, પુણેમાં 4000 નોકરી પર સંકટ

pune chakan midc companies relocating: મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા ચાકણ વિસ્તારમાં ખરાબ રસ્તાઓ, ખાડા અને રોજિંદો ટ્રાફિક જામ હવે ઉદ્યોગો માટે મોટી આફત બની ગયો છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે, ચાકણ MIDCમાંથી લગભગ 20 નાની અને મધ્યમ કંપનીઓ અહીંથી સ્થળાંતર કરવાની તૈયારી કરી રહી છે. જો આ પલાયન થશે તો, લગભગ 4,000 લોકોની નોકરીઓ પર સીધી અસર પડી શકે છે, અને ₹1,000 કરોડનો વ્યાપાર પ્રભાવિત થઈ શકે છે.

ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતું છે ચાકણ

ચાકણ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)નો મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, જે રાજ્યના અગ્રણી ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાય છે. અહીં મર્સિડીઝ-બેન્ઝ, ફોક્સવેગન, સ્કોડા અને હ્યુન્ડાઈ જેવી મોટી વૈશ્વિક કંપનીઓ ઉપરાંત સેંકડો નાના અને મધ્યમ ઉદ્યોગો પણ કાર્યરત છે.

14 મહિનાથી ફરિયાદો છતાં કોઈ ઉકેલ નહીં

કંપનીઓનું કહેવું છે કે, તૂટેલા રસ્તા, કલાકોનો ટ્રાફિક જામ અને અકસ્માતોને કારણે કામકાજ કરવું મુશ્કેલ બન્યું છે.

ખંડાલા MIDC તરફ પ્રયાણ: 20 કંપનીઓએ મળીને એક સમૂહ બનાવ્યો છે, જે સાતારા જિલ્લાના ખંડાલા MIDCમાં જમીન અને પાયાની સુવિધાઓ મેળવવા માટે વહીવટીતંત્ર સાથે વાટાઘાટો કરી રહ્યો છે.

14 મહિનાથી રજૂઆત: એક્સપોર્ટ માલિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 14 મહિનામાં રસ્તાઓ, ટ્રાફિક અને કચરાના નિકાલ અંગે અધિકારીઓને અનેક પત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી.

સ્થાનિક સ્તરે ચિંતા અને સરકારનું વલણ

કંપનીઓના પલાયનના સમાચારથી સ્થાનિક ધારાસભ્ય બાબાજી કાલેએ સ્વીકાર્યું કે, ઉદ્યોગોની સમસ્યાઓનો સમયસર ઉકેલ આવી શક્યો નથી. તેમણે જણાવ્યું કે, તેઓ કંપનીઓના પ્રતિનિધિઓને મળીને ચાકણ ન છોડવા અપીલ કરશે, અને આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે. જો સરકાર યોગ્ય પગલાં નહીં લે, તો ચાકણ MIDCમાંથી કંપનીઓનું સ્થળાંતર શરૂ થઈ જશે, જેનાથી હજારો કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ શકે છે.