India

દિલ્હીમાં ફરી ધરણાં થાય તે પહેલા જ સરકાર ઝૂકી! કોકરોચ જનતા પાર્ટીની માગ પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસો રદ કરવા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બંધારણની કલમ 142 હેઠળ કેસો રદ કરવાની માંગ કરાઈ છે. CJI સૂર્યકાંતે મંગળવારે આ કેસની તાત્કાલિક સુનાવણીનો આદેશ આપ્યો. CJP 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં વિરોધ માર્ચની તૈયારી કરી રહી હતી. આ પગલાને CJP નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પોતાની જીત ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીમાં ફરી ધરણાં થાય તે પહેલા જ સરકાર ઝૂકી! કોકરોચ જનતા પાર્ટીની માગ પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

Delhi Protest : શું ઈન્ડિયા ગેટ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શન માર્ચ પહેલા જ કેન્દ્ર સરકાર કોકરોચ જનતા પાર્ટી(CJP)ની બીજી સૌથી મોટી માંગ પૂરી કરવા જઈ રહી છે? નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની તાજેતરની અરજી બાદ સીજેપીના નેતાઓ સુખદ આશ્ચર્યમાં છે અને તેમણે કોઈ પણ શબ્દ બોલ્યા વગર ખાસ અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. સીજેપીના રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ તેને ભીમરાવ આંબેડકરની જીત તરીકે દર્શાવતા બાબા સાહેબની તસવીર સાથે પોતાનો ચહેરો દર્શાવ્યો હતો. જ્યારે સીજેપીના સહ-સંયોજક સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ પણ તસવીરો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી

અહેવાલ છે કે કેન્દ્ર સરકારે નીટ વિરોધ પ્રદર્શન અને 20 જુલાઈના રોજ યોજાયેલા સંસદ ચલો માર્ચ દરમિયાન નોંધાયેલી એફઆઇઆર રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે. સરકાર ઇચ્છે છે કે બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને આ કેસો રદ કરવામાં આવે. સોલિસિટર જનરલ ઑફ ઇન્ડિયાએ આ કેસની તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટિંગની માંગ કરી હતી અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતે(CJI Surya Kant) મંગળવારે તેને લિસ્ટ કરવા જણાવ્યું છે. સરકારે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે સીજેપી 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માર્ચની તૈયારી કરી રહી છે. ઇન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે અને અભિજીત દીપકે(Abhijeet Dipke)એ સંકેત આપ્યો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ત્યાં ધરણા થઈ શકે છે.

સીજેપી નેતાઓની અનોખી પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારના આ તાજા વલણને સીજેપી પોતાની વધુ એક જીત તરીકે જોઈ રહી છે. અભિજીત દીપકેએ આ સમાચારના જવાબમાં બી. આર. આંબેડકરની તસવીરવાળું પુસ્તક પોતાના ચહેરા સામે રાખીને ઇશારામાં પ્રતિક્રિયા આપી હતી.

બીજી તરફ, સીજેપીના સહ-સંયોજક સૌરભ દાસે(Saurav Das) ચશ્માની ઉપરથી જોતાં એક ખાસ અંદાજમાં તસવીર શેર કરી હતી, જેવી રીતે લોકો સામાન્ય રીતે આશ્ચર્ય વ્યક્ત કરતી વખતે કરે છે.

આ સાથે આશુતોષ રાંકા(Ashutosh Ranka)એ પ્રતિક્રિયા આપી હતી અને રત્ના સિંહ્વ(Ratna Singh) હળવા સ્મિત સાથેની તસવીર શેર કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

સીજેપીની બે મુખ્ય માંગણીઓ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ આંદોલન સમેટી લેનારી સીજેપીએ સરકાર સમક્ષ માંગ રાખી હતી કે નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જેટલા પણ કેસ નોંધાયા હતા તે તમામ રદ કરવામાં આવે. આ ઉપરાંત, પેપર લીકની ઘટનાઓના કારણે જીવ ગુમાવનારા તમામ વિદ્યાર્થીઓના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે.