ઇ-કોમર્સ રિટેલરને રાહત મળી
સીસીઆઈએ 17 ડિસેમ્બર 2021ના રોજના આદેશમાં આ દંડ ફટકાર્યો હતો
સુપ્રીમ કોર્ટે એમેઝોનને ૧૩ જુન ૨૦૨૨ના રોજ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે આપેલા આદેશ સામે અરજી કરવા છૂટ આપી છે. આ આદેશમાં એનસીએલએટીએ એમેઝોનની તેના ઇન્વેસ્ટમેન્ટ ડીલ સામેની એન્ટી ટ્રસ્ટ સસ્પેન્શનની અરજી નકારી કાઢી હતી. એમેઝોને આ ડીલ ફ્યુચર ગુ્રપ સાથે કર્યુ હતુ. એનસીએલએટીનું કહેવું હતું કે ઇ-કોમર્સ રિટેલરે આ મંજૂરી મેળવવા માટે જરુરી બધી વિગતો પૂરી પાડી ન હતી.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જારી કરેલા આદેશને કોરાણે મૂક્યો હતો, જેમા એમેઝોનને પેનલ્ટી ફટકારવામાં આવી હતી અને ફ્યુચર સાથે તેનું ડીલ સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશના પગલે એમેઝોન પાસેથી કોઈ રકમ લેવાઈ હોય કે મેળવાઈ હોય તો તેને આઠ સપ્તાહની અંદર પરત કરવી. કોરટે જણાવ્યું હતું કે સીસીઆઈ સત્તામંડળ કાયદાકીય એકમ છે અને તેના પગલાં કાયદેસરતા, યોગ્યતા અને તર્કબદ્ધ નિર્ણય પ્રક્રિયાના લઘુત્તમ ધોરણોનું પાલન કરતાં હોવો જોઈએ, આ નિર્ણય બધા જાહેર એકમોને પણ લાગુ પડે છે.


