'તાત્કાલિક હુમલા બંધ કરો...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારતે UNSC ગજવ્યું, દુનિયાને આપ્યો સ્પષ્ટ મેસેજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India UNSC Speech : પશ્ચિમ એશિયામાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે ગાઝામાં ચાલતું યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા હુમલા અને લાલ સાગરમાં અસુરક્ષાના કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. આવી સ્થિતિમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર કોમર્શિયલ જહાજો અને નાગરિક પાયાની સુવિધાઓને ટાર્ગેટ કરવાની બાબત કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
ભારતીયોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર થયેલા હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું છે, અસંખ્ય ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે અને 1 ભારતીય હજુ પણ ગુમ છે. વર્તમાન સમયમાં ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને કામ કરે છે. ભારતે વિશ્વ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે પોતાના નાગરિકોની સુરક્ષા તેના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આર્થિક અને વ્યાપારિક હિતો પર જોખમ
પશ્ચિમ એશિયા ભારત માટે ઊર્જા સુરક્ષાની કરોડરજ્જુ છે. આ ક્ષેત્ર સાથે ભારતનો વાર્ષિક લગભગ 180 અબજ યુએસ ડોલરનો વેપાર થાય છે, જ્યારે 31 અબજ ડોલરથી વધુનું સીધું વિદેશી રોકાણ (FDI) અને 52 અબજ ડોલરથી વધુનું વાર્ષિક રેમિટેન્સ જોડાયેલું છે. જો હોર્મુઝ કે આસપાસના દરિયાઈ માર્ગો અસુરક્ષિત બને તો તેની સીધી અસર ભારતની અર્થવ્યવસ્થા અને તેલ પુરવઠા પર પડી શકે છે.
દરિયાઈ સુરક્ષા અને માનવીય સંકટ
ભારતે UNSC માં જીએફએસ ગેલેક્સી, એમટી અલ બહિયા અને એમટી મોમ્બાસા જેવા જહાજો પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. આ સાથે જ ભારતે ગાઝામાં જારી ગંભીર માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરતા ફિલિપાઈન્સ/ફિલિસ્તીન મુદ્દે બે-રાષ્ટ્ર ઉકેલ માટે પોતાનું સમર્થન દોહરાવ્યું છે. ભારતે યમનમાં હૂતી બળવાખોરો દ્વારા દરિયાઈ માર્ગો પર કરાતા હુમલાઓની પણ કડક શબ્દોમાં ટીકા કરી છે.









