India

સોનમ વાંગચુકને તેમની પસંદગીની હૉસ્પિટલમાં શિફ્ટ કરો: હાઇકોર્ટનો આદેશ, સરકારે કહ્યું- અમને વાંધો નથી

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હી હાઇકોર્ટે તેમની પસંદગીની મેદાંતા હૉસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું. કોર્ટે મેદાંતાને નિષ્ણાત ડૉક્ટર્સની પેનલ બનાવી વાંગચુકના તમામ મેડિકલ રિપોર્ટ્સ સુપરત કરવા સૂચના આપી. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું કે ડૉક્ટરોની સલાહ વિના તેમને ડિસ્ચાર્જ ન કરી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકને તેમની પસંદગીની હૉસ્પિટલમાં શિફ્ટ કરો: હાઇકોર્ટનો આદેશ, સરકારે કહ્યું- અમને વાંધો નથી

Delhi HC Allows Sonam Wangchuk Shift to Medanta Hospital : લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય સંબંધિત કેસમાં દિલ્હી હાઇકોર્ટે આજે એક અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે વાંગચુકને તેમની જ પસંદગીની મેદાંતા હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે મેદાંતા હૉસ્પિટલ પ્રશાસનને નિષ્ણાત ડૉક્ટર્સની એક વિશેષ પેનલ બનાવવાની અને વાંગચુકના તમામ મેડિકલ રિપોર્ટ્સ આ પેનલને સુપ્રત કરવાની સૂચના આપી છે.

વાંગચુક મેદાન્તા હૉસ્પિટલમાં જાય તેમાં અમને કોઈ વાંધો નથી: કેન્દ્ર સરકાર

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે સોનમ વાંગચુકને મેદાંતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવે તેની સામે સરકારને કોઈ વાંધો કે આપત્તિ નથી. પરંતુ, સરકારે આ સાથે એક મહત્વની શરત રજૂ કરી હતી. સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે વાંગચુકને ડૉક્ટરોની મેડિકલ સલાહ વિરુદ્ધ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

સોનમ વાંગચુકની આસપાસ રહેલા કેટલાક લોકો તેમને હૉસ્પિટલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર બહારની પરિસ્થિતિ પર પડી શકે છે. વાંગચુક પોતાની પસંદગીની હૉસ્પિટલ અને ડૉક્ટર પસંદ કરવા માટે મુક્ત છે, પરંતુ ડૉક્ટર્સની સલાહ વિના તેઓ ડિસ્ચાર્જ ન થઈ શકે.

ડૉ- સોલિસિટર જનરલ

જો વાંગચુક ફરીથી આંદોલન કરે અને તબિયત લથડે તો જવાબદાર કોણ?: સરકાર

સોલિસિટર જનરલે સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એક ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જો હૉસ્પિટલમાંથી નીકળીને વાંગચુક ફરીથી પોતાના પ્રદર્શન સ્થળ પર જતા રહેશે અને ત્યાં તેમની તબિયત લથડશે કે તેમને કંઈ થઈ જશે, તો તેની જવાબદારી કોની રહેશે?

દિલ્હી હાઇકોર્ટે વાંગચુકના મેડિકલ રિપોર્ટ્સની સમીક્ષા કર્યા બાદ અને ડૉક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું કે તમામ મેડિકલ એક્સપર્ટ્સ એક વાત પર સહમત છે કે વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત તબીબી દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. તમામ પક્ષોની દલીલો અને ડૉક્ટર્સના અભિપ્રાયો સાંભળ્યા બાદ દિલ્હી હાઇકોર્ટે આખરે આદેશ આપ્યો કે સોનમ વાંગચુકને મેદાંતા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે, કારણ કે આ હૉસ્પિટલ તેમની પોતાની પસંદગીની છે.