India

સિયા ગોયલના સ્નેપચેટ મેસેજથી કેતન મર્ડર કેસમાં નવો વળાંક, શંકા ન જાય તે માટે પણ બનાવ્યો હતો પ્લાન

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. પોલીસને આરોપી સિયા ગોયલની એક સ્નેપચેટ ચેટ મળી છે. 25 મેની આ ચેટમાં સિયા કથિત રીતે મિત્ર પાસેથી ફ્લાઈટ ટિકિટ બુક કરાવવા આધાર કાર્ડ માંગે છે. "વેડિંગ ટિકિટ્સ માટે, જે થવાના નથી તો પણ મોકલી દે" એવા શબ્દો ષડયંત્રનો સંકેત આપે છે. પોલીસ આ ચેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિયા ગોયલના સ્નેપચેટ મેસેજથી કેતન મર્ડર કેસમાં નવો વળાંક, શંકા ન જાય તે માટે પણ બનાવ્યો હતો પ્લાન

Ketan Agarwal Murder Case New Twist : કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી પોલીસના હાથમાં એક અત્યંત ચોંકાવનારો પુરાવો હાથ લાગ્યો છે, જેણે આ આખી મર્ડર મિસ્ટ્રીમાં નવો ટ્વિસ્ટ લાવી દીધો છે. પોલીસની તપાસ ટીમ હવે આરોપી સિયા ગોયલની એક કથિત સ્નેપચેટ ચેટને ફંફોસી રહી છે, જેનાથી એવો સંકેત મળે છે કે, હત્યાની આ આખી ઘટનાને એક ઊંડા ષડયંત્ર હેઠળ અંજામ આપવામાં આવ્યો હતો. માહિતી મુજબ, આ કથિત વાતચીત 25 મેના રોજની છે. આ ચેટમાં આરોપી સિયા ગોયલ કથિત રીતે પોતાની મિત્ર પાસે ફ્લાઇટ ટિકિટ બુક કરવાના બહાને તેનું આધાર કાર્ડ માંગે છે. સિયાએ હિન્દીમાં લખ્યું હતું, 'આધાર કાર્ડ ફ્રન્ટ અને બેક મોકલી દે વેડિંગ ટિકિટ્સ માટે, જે થવાના નથી તો પણ મોકલી દે.'

પોલીસ તપાસમાં ખુલશે અનેક રાઝ

તપાસ અધિકારીઓ હવે આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે કે, શું આ આખી વાતચીત અને હવાઈ ટિકિટોનું બુકિંગ માત્ર એક દેખાવ હતો. એવી આશંકા છે કે, આ કથિત ચેટ અને ટિકિટ અરેન્જમેન્ટ્સ દ્વારા સિયા એવું બતાવવા માંગતી હતી કે, કેતન અગ્રવાલ સાથે તેના લગ્નની તૈયારીઓ બિલકુલ સામાન્ય રીતે ચાલી રહી છે, જેથી કેતનની હત્યા બાદ કોઈને તેના પર શંકા ન જાય. આ આખી કવાયત મર્ડર પ્લોટને છુપાવવા અને તપાસ ભટકાવવાનો એક મોટો પ્રયાસ હોઈ શકે છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, કોઈપણ ડિજિટલ ચેટની કાનૂની માન્યતા તેની તકનીકી અને ફોરેન્સિક તપાસ પૂરી થયા પછી જ નક્કી થશે. તેથી હાલમાં આ ચેટને અંતિમ પુરાવો માની શકાય નહીં.

કેતનના પરિવારનો આરોપ

કેતનના પિતા, વિશાલ દેવીચંદ અગ્રવાલ તરફથી નોંધાવવામાં આવેલી FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ચેતન અને સિયા, બંનેએ મળીને તેમના પુત્રને એક ખડક પરથી નીચે ધકેલી દીધો, જેનાથી તેનું મોત નીપજ્યું. કેતન 18 જૂનની સવારે ઘરેથી નીકળ્યો, પુણે-મુંબઈ હાઈવે પર કિવાલે બ્રિજ પરથી સિયાને સાથે લીધી અને પછી લોહગઢ ફોર્ટ તરફ ગયો. તે જ દિવસે બપોર પહેલા સિયા ગોયલે ચેતનની માતાને ફોન કરીને જણાવ્યું કે, તે ભૂલથી લોહગઢ કિલ્લાની એક ખીણમાં પડી ગયો છે. સ્થાનિક લોકો અને પોલીસે તેને ખીણમાંથી શોધી કાઢ્યો અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. FIR અનુસાર, 21 જૂને કેતન અગ્રવાલના પિતા અને સંબંધીઓ તે જગ્યાએ ગયા, જ્યાં તે પડ્યો હતો, અને તેમને લાગ્યું કે, તે જગ્યાએથી ભૂલથી લપસી જવાની શક્યતા બહુ ઓછી હતી. પરિવારે આરોપ લગાવ્યો કે સિયા ગોયલનો ફોન સતત વ્યસ્ત રહેતો હતો, અને તે અવારનવાર તેના પ્રેમી ચેતનનો ઉલ્લેખ કરતી હતી, જેનાથી તેમને શંકા ગઈ કે બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ હતો.