India

લદ્દાખમાં ભારે ભૂકંપ: 5.5ની તીવ્રતાથી ધરા ધ્રૂજી, પાલઘરમાં પણ અનુભવાયા બે આંચકા

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે સવારે 6:05 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અચાનક ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

લદ્દાખમાં ભારે ભૂકંપ: 5.5ની તીવ્રતાથી ધરા ધ્રૂજી, પાલઘરમાં પણ અનુભવાયા બે આંચકા

Earthquack News : લદ્દાખના લેહ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 6:05 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ છે. સવારના સમયે જ અચાનક ધરતી ધ્રૂજી ઊઠતા લોકોમાં અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો.

કેવી રીતે આવે છે ભૂકંપ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૃથ્વીની અંદર મુખ્યત્વે 7 ટેક્ટોનિક પ્લેટો આવેલી છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જે વિસ્તારોમાં વધુ અથડાય છે, તેને 'ફોલ્ટ લાઇન ઝોન' કહેવામાં આવે છે.

વારંવાર અથડાવાના કારણે આ પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે દબાણ (પ્રેશર) વધવા લાગે છે ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. પ્લેટો તૂટવાને કારણે અંદરથી ઊર્જા (એનર્જી) બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ જ હલચલના કારણે ભૂકંપ આવે છે.

તીવ્રતા અને તેની અસર

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે.

7.0 કે તેથી વધુ તીવ્રતા: આ કેટેગરીના ભૂકંપ અત્યંત ખતરનાક અને વિનાશક ગણાય છે.

2.0 કે તેથી ઓછી તીવ્રતા: આને માઇક્રો ભૂકંપ કહેવાય છે, જે મોટાભાગના લોકોને અનુભવાતા પણ નથી.

4.5 કે તેથી વધુ તીવ્રતા: આ તીવ્રતા ધરાવતો ભૂકંપ ઇમારતો અને મકાનોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

મહારાષ્ટ્રના પાલઘરમાં પણ અનુભવાયા હતા આંચકા

આ પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં પણ સોમવારે રાત્રે એક કલાકના ગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. બંને આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. પ્રથમ આંચકો રાત્રે 10:04 વાગ્યે અને બીજો આંચકો રાત્રે 11:00 વાગ્યે આવ્યો હતો, જેના કારણે ગભરાયેલા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.