India

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ખાનગી હોસ્પિટલોને ખાસ સંદેશ આપ્યો છે. તેમણે મુંબઈના લોકભવનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તમામ લોકોને સસ્તી અને વિશ્વસ્તરીય આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી તે આપણા બધાનું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક આરોગ્ય સેવા કેન્દ્ર તરીકે ભારત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. તેમણે ખાનગી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને કહ્યું કે, આરોગ્ય સેવાઓ કરતી વખતે પોતાની સામાજિક જવાબદારીનું પણ ધ્યાન રાખો.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાનગી હોસ્પિટલોને રાષ્ટ્રપતિ મુર્મૂનો મેસેજ, કહ્યું, ‘આરોગ્ય સેવા કરતી વખતે પોતાની જવાબદારી નિભાવો’

President Draupadi Murmu Mumbai Visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ખાનગી હોસ્પિટલોને ખાસ સંદેશ આપ્યો છે. તેમણે મુંબઈના લોકભવનમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, તમામ લોકોને સસ્તી અને વિશ્વસ્તરીય આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવી તે આપણા બધાનું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વૈશ્વિક આરોગ્ય સેવા કેન્દ્ર તરીકે ભારત પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. તેમણે ખાનગી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને કહ્યું કે, આરોગ્ય સેવાઓ કરતી વખતે પોતાની સામાજિક જવાબદારીનું પણ ધ્યાન રાખો.

ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવાનો પ્રયાસ કરવો જોઈએ : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માટે તેમાં સરકારની સાથે સાથે અન્ય તમામ હિતધારકોની ભૂમિકા પણ મહત્ત્વની છે. તમામ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે માટે તમામે મળીને પ્રયાસ કરવો જોઈએ. એઆઈ અને ટેકનોલોજી અન્ય ક્ષેત્રોની જેમ આરોગ્ય ક્ષેત્રમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આરોગ્યના તમામ પડાવમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનારા સમયમાં તેની ભૂમિકા વધુ વધવાની છે.

‘સસ્તી આરોગ્ય સેવા આપવી ખૂબ જરૂરી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશવાસીઓને સસ્તી આરોગ્ય સેવા આપવા માટે દેશમાં જ દવા અને ઉપકરણોનું ઉત્પાદન કરવું ખૂબ જ જરૂરી છે. આમાં મેક ઈન ઈન્ડિયા અને PIL જેવી પહેલ સફળ થઈ રહી છે. આપણે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આ લક્ષ્ય હાંસલ કરવા માટે નાગરિકોનું સ્વસ્થ હોવું તે જરૂરી છે. જો નાગરિકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે તો તમામ દેશવાસીઓ સ્વસ્થ રહેશે.’

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, 12 ટીમો લેશે ભાગ

રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાષ્ટ્રના બે દિવસનો પ્રવાસ કરવા માટે આજે મુંબઈ પહોંચ્યા છે. જ્યારે તેઓ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા અજિત પવારે તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : કાતિલ પુત્ર પિતાના મૃતદેહના ટુકડા કરી ક્રિકેટ રમવા ગયો ! પુત્રી પણ 4 દિવસ ચૂપ રહી: લખનૌમાં ખૌફનાક મર્ડર કેસ