Get The App

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડિંગનો આરોપ 1 - image

Nashik TCS Religious Conversion Case in Supreme Court : મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સૌથી જાણીતી કંપની TCSમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, આ મામલો માત્ર બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરવાનો નથી, પરંતુ આ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે.

દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો

સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુઓ મોટો હેઠળ ધર્મ પરિવર્તનનો એક ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં નાસિક ટીસીએસ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે કહ્યું કે, નાસિકની ટીસીએસમાં સંગઠન બનાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો છે.

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

અરજીમાં શું માંગ કરાઈ અને કયા આક્ષેપો કરાયા?

નાસિક ટીસીએસ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અનેક માંગ કરવામાં આવી છે, તેમાં મુખ્ય માંગ કરાઈ છે કે,

(1) બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવવું તે દેશ માટે ગંભીર ખતરો છે.

(2) જો મોટા સંગઠન દ્વારા અને દબાણ કરીને આવું અભિયાન ચલાવાઈ રહ્યું છે તો તે મામલાને આતંકવાદી કૃત્ય માનવું જોઈએ.

(3) આવી રીતે ધર્મ પરિવર્તન કરાવવું માત્ર ધાર્મિક ઘટના નથી, પણ તે પૂર્વ આયોજિત ષડયંત્ર છે.

(4) આવું ષડયંત્ર રચવા માટે વિદેશી શક્તિઓ નાણાં આપે છે. તેમનો ઇરાદો ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષા પર ખતરો ઊભો કરી દેશની ધાર્મિક જનસંખ્યાને બદલવાનો હોય છે.

(5) ધર્મની આઝાદીનો અધિકાર તો છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા અને નૈતિકતાની શરતોને આધીન છે. એટલે કે આ આઝાદીના બહાને બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ બદલી ન શકાય.

અરજદારે બે મોટી માંગ કરી

અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ બે મોટી માંગ કરી છે. પહેલી માંગ એ છે કે, દેશમાં આવી રીતે ધર્મ પરિવર્તન અટકાવાવ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, ધર્મ પરિવર્તન કેસને સાંભળવા માટે જુદી સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ કોર્ટ બનાવવામાં આવે.

આ પણ વાંચો : મહિલા અનામત બિલ | વિરોધ કરનારાને મહિલાઓ માફ નહીં કરે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય: PM મોદી