India

'ગૃહમાં માઇક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધું', સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ: રાહુલ ગાંધી

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીને જવાબદાર ઠેરવતા ભાજપ પર બોલવા ન દેવાનો અને માઇક બંધ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધી આજે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને સંસદમાં ન બોલી શકેલી વાતો દેશ સમક્ષ રજૂ કરશે, જેના પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગૃહમાં માઇક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધું', સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ: રાહુલ ગાંધી

Rahul Gandhi Press Conference : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવતા ભાજપ સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે ગૃહમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓનું નામ લીધું, ત્યારે ભાજપે તેમને બોલવા દીધા નહોતા, અને તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે 6 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે. જે વાતો તેમને સંસદની અંદર બોલવા દેવામાં આવી નથી, તે તમામ બાબતો, આ પ્રેસ કોન્ફરન્સમાં દેશ સમક્ષ મૂકશે.

સોશિયલ મીડિયા X પર રાહુલની પોસ્ટ

રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે સંસદમાં મારા ભાષણ દરમિયાન મેં દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, અને આ માટે જવાબદાર કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ પણ લીધું હતું. પરંતુ ભાજપે મને બોલવા ન દીધો. તેઓ સંસદમાં મારું માઇક બંધ કરી શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના અવાજનો પડઘો કોઈ રોકી શકશે નહીં.'

આ પ્રેસ કોન્ફરન્સને લઈને હવે રાજકીય ગરમાવો વધી ગયો છે, અને દેશભરની નજર રાહુલ ગાંધીના સાંજે થનારા ખુલાસાઓ પર છે.