India

રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી, ગણતરી કરનારા જૂના સ્ટાફના 36 સભ્યોની હકાલપટ્ટી

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી પ્રકરણ બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સફાળું જાગ્યું છે. ટ્રસ્ટે સુરક્ષા અને વહીવટી વ્યવસ્થામાં ફેરફારો શરૂ કર્યા છે. 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. દાન ગણતરીની આખી ટીમ બદલી, 36 કર્મચારીઓને દૂર કરાયા છે. હવે SBIનો સ્ટાફ ગણતરી કરશે. આજે ટ્રસ્ટની બેઠકમાં નવા મહાસચિવની પસંદગી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિરમાં દાન ચોરી બાદ મોટી કાર્યવાહી, ગણતરી કરનારા જૂના સ્ટાફના 36 સભ્યોની હકાલપટ્ટી

Ayodhya Ram Mandir Donation Theft Case : અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમ ચોરી થવાનો કિસ્સો સામે આવ્યા બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની સુરક્ષા અને વહીવટી વ્યવસ્થામાં મોટા પાયે ફેરફારો શરૂ કર્યા છે. ગેરરીતિઓની શક્યતાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ટ્રસ્ટે મંદિરમાં કાર્યરત તમામ 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં કર્મચારીઓની પૃષ્ઠભૂમિકા અને તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

દાન ગણતરીની આખી ટીમ બદલાઈ, 36 કર્મચારીઓ દૂર કરાયા

સૌથી મોટો અને મહત્વનો ફેરફાર દાનની ગણતરી કરવાની પ્રક્રિયામાં કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સંયુક્ત રીતે નવી સિસ્ટમ લાગુ કરી છે. આ અંતર્ગત દાનની ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. હવે રોકડ દાનની ગણતરીની સમગ્ર જવાબદારી SBI દ્વારા તૈનાત કરાયેલા નવા અને અધિકૃત સ્ટાફને સોંપવામાં આવશે.

આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક

દાન ચોરી પ્રકરણ વચ્ચે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. બેઠક બે સત્રોમાં (બપોરે 3:00 વાગ્યે અને 4:00 વાગ્યે) યોજાશે.

નવા મહાસચિવની પસંદગી: પૂર્વ મહાસચિવ ચંપત રાયના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા પર નવા મહાસચિવની નિમણૂક કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવા મહાસચિવ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંથી જ હશે તે નક્કી મનાય છે.

નવા સભ્યોનો સમાવેશ: પૂર્વ સભ્ય ડો. અનિલ મિશ્રના રાજીનામા અને બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. રાજપરિવારના સભ્ય અને સાહિત્યકાર યતીન્દ્ર મિશ્ર તેમજ અયોધ્યાના કોઈ પ્રમુખ સંતને ટ્રસ્ટમાં સ્થાન મળી શકે છે.