India

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત

By GS TEAM
9 Feb 20262 mins read
TukuTouch Logo
કાનપુરના બિઠૂર સ્થિત રાજા નર્સિંગ હોમમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નવજાત બાળકીને વૉર્મર મશીનમાં મૂકીને ભૂલી જવામાં આવી હતી, જેના કારણે મશીનનું તાપમાન વધી જતાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ અને તડપી-તડપીને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે હોસ્પિટલને સીલ કરી દીધી છે અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાનપુરમાં નર્સિંગ સ્ટાફની લાપરવાહીએ નવજાતનો ભોગ લીધો, વોર્મર મશીનમાં મૂકી ભૂલી જતાં કરુણ મોત
(AI IMAGE)

Kanpur Hospital Negligence Baby Death Case: કાનપુરના બિઠૂર સ્થિત રાજા નર્સિંગ હોમમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારીને કારણે એક નવજાત બાળકીને વૉર્મર મશીનમાં મૂકીને ભૂલી જવામાં આવી હતી, જેના કારણે મશીનનું તાપમાન વધી જતાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ અને તડપી-તડપીને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે હોસ્પિટલને સીલ કરી દીધી છે અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલની ભયાનક બેદરકારી: વૉર્મર મશીન ચાલુ મૂકી સ્ટાફ નવજાતને ભૂલી ગયો

બિઠૂરના રહેવાસી અરુણ નિષાદની પત્ની શાલૂએ રવિવારે સાંજે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. નવજાત શિશુને ઠંડીથી બચાવવા માટે નર્સોએ તેને ICUમાં વૉર્મર મશીન પર રાખી હતી. જોકે, સ્ટાફ મશીન ચાલુ રાખીને તેની દેખરેખ કરવાનું ભૂલી ગયો હતો. 

સ્ટાફની એક ભૂલ અને માતા-પિતાની ખુશીઓ માતમમાં ફેરવાઈ

લાંબા સમય સુધી મશીન ચાલુ રહેવાને કારણે તેનું તાપમાન જોખમી સ્તરે પહોંચી ગયું હતું, જેનાથી માસૂમ બાળકીનું શરીર કાળું પડી ગયું હતું. જ્યારે પરિવારે બાળકીને જોવાની જીદ કરી ત્યારે નર્સોએ આનાકાની કરી હતી, પરંતુ શંકા જતા પરિવારે જ્યારે ICUમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકીના માથા અને હાથના ભાગે ગંભીર દાઝેલા નિશાનો જોઈ તેમના હોશ ઉડી ગયા હતા.

આ પણ વાંચો: દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી

ડૉક્ટર અને સ્ટાફ ફરાર

આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હંગામો મચી ગયો હતો. પોતાની ભૂલ સમજાતા ડૉક્ટર વિવેક મિશ્રા અને આખો સ્ટાફ હોસ્પિટલ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગે ઘટનાસ્થળે પહોંચી ICU સીલ કર્યું છે અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અરુણની આ પહેલી સંતાન હતી, જેના જવાથી આખો પરિવાર ભાંગી પડ્યો છે. પરિવાર હવે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવાની અને દોષિતોને જેલ ભેગા કરવાની માંગ કરી રહ્યો છે.