India

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત

Oman Sea Drone Attack : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા

મીડિયા રિપોર્ટ મુજબ, ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી 52 નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા MKD વ્યોમ તેલ ટેન્કર પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન અચાનક જહાજ પર બોમ્બથી લેસ ડ્રોનથી હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ તેમજ એન્જિન રૂમમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ મેમ્બર સવાર હતા. ઘટનામાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

વિશ્વ માટે સૌથી મહત્ત્વનો તેલ વેપાર માર્ગ યુદ્ધમાં અવરોધાયો

આ જહાજ ફારસની ખાડીના સાંકડા રસ્તામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સ્ટ્રેટ ઑફ હૉર્મુજ પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક તેલ વેપાર માટે આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો છે. ઓમાન મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરે કહ્યું કે, જહાજ પરના ટેન્કરમાં લગભગ 59,463 મેટ્રિક કાર્ગો હતો. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આ હુમલો થયો હોવાનું મનાય છે.

આ પણ વાંચો : ખામેનેઈના મોત મામલે ટ્રમ્પનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

યુદ્ધ બાદ ઈરાનની જહાજોને ધમકી

ઈઝરાયલ અને અમેરિકા હાલ ઈરાન વિરુદ્ધ મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકાના બી-2 બોમ્બર ઈરાનના આકાશમાં ઈરાનની ધરતી પર ખુરદો બોલાવી રહ્યા છે, ત્યારે આ હુમલાનો જવાબ આપવા ઈરાનનો હૉર્મુજ જલડમરૂમધ્ય નજીકથી પસાર થતા જહાજોને ધમકી આપી છે.

આ પણ વાંચો : પરમાણુ કેન્દ્ર પર હુમલો થયો તો શહેર ખાલી કરાવવા પડશે: ઈરાનમાં યુદ્ધ વચ્ચે કોણે આપી ચેતવણી?