India

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ

By GS Team
21 Jun 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારી ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં આવેલી મસ્જિદ મામલે ટિપ્પણી કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી, ત્યારે ભારતે તેની ટિપ્પણીને સંપૂર્ણ પાયાવિહોણા, હાસ્યાસ્પદ અને નફરત ફેલાવતી ગણાવી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ

Randhir Jaiswal Reply to Asif Ali Zardari : પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારી ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં આવેલી મસ્જિદ મામલે ટિપ્પણી કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી, ત્યારે ભારતે તેની ટિપ્પણીને સંપૂર્ણ પાયાવિહોણા, હાસ્યાસ્પદ અને નફરત ફેલાવતી ગણાવી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

પાકિસ્તાનને ભારતના મામલાઓમાં બોલવાનો કોઈ અધિકાર નથી : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણીને સંપૂર્ણ રદીયો આપી દીધો છે અને કહ્યું કે, ‘ભારત આસિફ અલી જરદારીની ટિપ્પણીનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેમને ભારતના આંતરિક મામલાઓ પર બોલવાનો કોઈ અધિકાર નથી. તેઓએ આવા મામલાઓમાં દખલગીરી કરવાથી દૂર રહેવું જોઈએ.’

‘પાકિસ્તાનની પોતાની જ સ્થિતિ ખૂબ ખરાબ’

રણધીર જયસ્વાલે પાકિસ્તાનને પોતાની ખરાબ સ્થિતિ પણ યાદ અપાવી છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનની પોતાની માનવાધિકારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેની સ્થિતિ આખી દુનિયામાં ચર્ચાઈ રહી છે. આવા દેશો દ્વારા આવા પ્રકારની ટિપ્પણી કરવી તદ્દન હાસ્તાસ્પદ છે. વિવિધ ધર્મોના લઘુમતીઓને ષડયંત્ર રચી ટાર્ગેટ કરવાનો અને તેઓની સાથે ભેદભાવ કરવાનો પાકિસ્તાનનો લાંબો ઈતિહાસ છે.’

આ પણ વાંચો : 'અમેરિકા ગમે તેટલું દબાણ કરે...', લેબેનોન અંગે નેતન્યાહૂના મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર

‘પાકિસ્તાનમાં હિન્દુ સમાજ અને અહમદિયા સમુદાયના લોકો પર હિંસા’

તેમણે એવું પણ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધર્મના નામે હિંસા થતી રહે છે, જેને જોઈને ત્યાં કામ કરી રહેલા બિન-સરકારી સંગઠન અને માનવાધિકારની દેખરેખ રાખતી સંસ્થાઓ સતત ચિંતા વ્યક્ત કરતી રહી છે. પાકિસ્તાનમાં ખાસ કરીને હિન્દુ સમાજ અને અહમદિયા સમુદાયના લોકો પર થતી હિંસા અને તેઓની સાથે ભેદભાવની ઘટનાઓ સતત થતી રહે છે. ત્યાં ધાર્મિક લઘુમતીના લોકો સામે ઈશનિંદા કાયદા સંબંધિત હિંસાઓ આજે પણ થતી રહે છે અને તેમાં સરકારી નીતિઓ અને ભેદભાવવાળા કાયદાઓની પણ ભૂમિકા સામેલ છે.

‘જરદારીની રાજકીય હેતુ માટે ટિપ્પણી કરી’

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણી ષડયંત્ર આધારીત રાજકીય હુમલો છે અને આ ટિપ્પણી તેમની સરકારની નફરત અને કટ્ટરતા આધારિત નીતિઓથી પ્રેરિત છે. પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ જોતા આવી ટિપ્પણી માત્ર રાજકીય હેતુ માટે કરવામાં આવી શકે છે.

આસિફ અલી જરદારીએ શું કહ્યું હતું?

પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને વારાણસી સ્થિતિ ઐતિહાસિક ગંજ શહીદા મસ્જિદ અને ભારતમાં અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો પર કથિત ખતરો હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે ભારતે જરદારીની આ જ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો છે અને ફરી કહ્યું છે કે, પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.’

આ પણ વાંચો : શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12થી વધુ ઇજાગ્રસ્ત