Get The App

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી 1 - image

Nepali Girl : ગુરુગ્રામમાં નેપાળી મૂળની એક યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવાની શરમજનક ઘટના સામે આવી છે. પીડિત યુવતી કુરુક્ષેત્રથી પોતાની એક બહેનપણીને મળવા માટે ગુરુગ્રામ પહોંચી હતી. જ્યાં ઓટોમાં સવાર ત્રણ યુવકોએ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

મિત્ર ન મળતા તણાવમાં હતી યુવતી

24 વર્ષીય પીડિતાએ ગુરુગ્રામ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે 23 ફેબ્રુઆરીએ કુરુક્ષેત્રથી ગુરુગ્રામના અશોક વિહારમાં પોતાની એક મિત્રને મળવા આવી હતી. જોકે, તે જે મિત્રને મળવા આવી હતી તે ત્યાં મળી નહોતી. આનાથી તે ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી. માનસિક પરેશાનીના કારણે તેણે દારૂ પી લીધો અને પરત જવા માટે એક ઓટોમાં બેઠી હતી. તે ઓટોમાં ત્રણ યુવકો પહેલાથી જ બેઠેલા હતા.

આચર્યું સામૂહિક દુષ્કર્મ

યુવતીના જણાવ્યા અનુસાર, નશામાં હોવાના કારણે તે પોતાની હોશ ગુમાવી બેઠી હતી. તે એટલા નશામાં હતી કે, તેને કંઈપણ સ્પષ્ટ રીતે યાદ નથી. બીજા દિવસે જ્યારે તેનો નશો ઉતર્યો અને તે હોશમાં આવી, ત્યારે તે નાહરપુર રૂપા ચોકી વિસ્તારના એક અજાણ્યા ઓરડામાં હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે, ઓટોમાં સવાર તે ત્રણેય યુવકોએ તેને ઓરડામાં લઈ જઈને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ ચાલુ

પીડિતા 24 ફેબ્રુઆરીએ કોઈક રીતે ત્યાંથી નીકળીને સદર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે એક આરોપી, એટાના રહેવાસી મનીષ કુમારની ધરપકડ કરી લીધી છે.

પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

આ ગુનામાં સામેલ અન્ય બે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમો તેમની ધરપકડ કરવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસનો દાવો છે કે, અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં જ પકડી લેવાશે. બીજી તરફ પોલીસ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી તેનો તણાવ ઓછો થઈ શકે. તપાસ અધિકારીઓનો દાવો છે કે, આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.