India

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર!

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, પેટ્રોલ પર રૂ. 1, ડીઝલ પર રૂ. 10 અને ATF પર રૂ. 7.5 પ્રતિ લિટરનો વધારો થયો છે. આ નિર્ણયનો હેતુ દેશમાં ઇંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને રિફાઇનરીઓ દ્વારા વિદેશમાં થતા વધુ નફા પર અંકુશ મેળવવાનો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને તણાવ વચ્ચે આ પગલું લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર!

Govt Raises Windfall Tax on Petrol, Diesel and ATF Export : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતી અસ્થિરતા અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો કરી દીધો છે.

કેટલો વધારવામાં આવ્યો ટેક્સ?

સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં નીચે મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે:

  • પેટ્રોલ: નિકાસ શુલ્કમાં રૂ. 1 per literનો વધારો કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલ પર નિકાસ શુલ્ક રૂ. 2.5 per literથી વધીને રૂ. 3.5 per liter થઈ ગયું છે.
  • ડીઝલ: ડીઝલના નિકાસ પર સૌથી મોટો ફટકો પડ્યો છે. SAED અને અન્ય ટેક્સ મળીને ડીઝલ પર લગભગ રૂ. 10 per liter સુધીનો વધારો કરાયો છે, જેનાથી હવે કુલ શુલ્ક રૂ. 25.5 per liter થઈ ગયું છે (જે 15 દિવસ પહેલા સુધી રૂ. 15.5 per liter હતું).
  • જેટ ફ્યુઅલ (ATF): વિમાનોમાં વપરાતા ઈંધણ પર નિકાસ શુલ્ક રૂ. 7.5 per liter વધારીને રૂ. 22 per liter કરી દેવામાં આવ્યું છે, જે પહેલા રૂ. 14.5 per liter હતું.
ઇંધણનો પ્રકાર
જૂનો નિકાસ ટેક્સ
નવો નિકાસ ટેક્સ
થયેલો વધારો
પેટ્રોલ (Petrol)
રૂ. 2.5 per liter
રૂ. 3.5 per liter
રૂ. 1.0 per liter
ડીઝલ (Diesel)
રૂ. 15.5 per liter
રૂ. 25.5 per liter
રૂ. 10.0 per liter
ATF (જેટ ફ્યુઅલ)
રૂ. 14.5 per liter
રૂ. 22.0 per liter
રૂ. 7.5 per liter

શું તમારા ખિસ્સા પર પડશે સીધી અસર?

તમારા મનમાં પહેલો પ્રશ્ન એ જ ઊભો થતો હશે કે શું કાલે સવારથી પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવ વધી જશે?

જવાબ છે: ના, સીધી રીતે નહીં.

આ ટેક્સ ભારતની અંદર વેચાતા પેટ્રોલ-ડીઝલ પર નહીં, પરંતુ ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલીયમ (BPCL) કે હિન્દુસ્તાન પેટ્રોલીયમ (HPCL) જેવી રિફાઇનિંગ કંપનીઓ દ્વારા વિદેશમાં નિકાસ કરાતા તેલ પર લગાવવામાં આવ્યો છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રિફાઇનરીઓ વધુ નફો કમાવવાના ચક્કરમાં દેશ બહાર તેલ ન મોકલી દે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ન સર્જાય. આ સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતા નફા પર અંકુશ મેળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

દર 15 દિવસે થાય છે સમીક્ષા

કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલીયમ ઉત્પાદનોના સ્ટોક અને વૈશ્વિક બજારના સંકેતોને ધ્યાનમાં રાખીને દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સના દરોની સમીક્ષા કરે છે.

  • જુલાઈના પ્રારંભમાં: પેટ્રોલ પર SAED રૂ. 1.5 થી વધારીને રૂ. 4 per liter કરાયો હતો, જ્યારે ડીઝલ પર રૂ. 14 થી ઘટાડીને રૂ. 8.5 per liter અને ATF પર રૂ. 12.5 થી ઘટાડીને રૂ. 7.5 per liter કરાયો હતો.
  • 16 જુલાઈના રોજ: વૈશ્વિક તેલના ભાવ વધતા ડીઝલ પર ટેક્સ વધારીને રૂ. 15.5 per liter અને ATF પર રૂ. 14.5 per liter કરાયો હતો, જ્યારે પેટ્રોલ પર ઘટાડીને રૂ. 2.5 per liter કરાયો હતો.
  • તાજેતરનો નિર્ણય: 3 August થી લાગુ થયેલા નવા દરો મુજબ ત્રણેય ઈંધણ પર ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી વિદેશી બજારોમાં ભારતથી જતું ઈંધણ મોંઘું બનશે, જે દેશમાં પૂરતો પુરવઠો જાળવી રાખવામાં મદદરૂપ થશે.