Get The App

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ 1 - image

Dharmendra Pradhan On NEET Re-Exam : નીટ-યુજી રી-એક્ઝામને લઈને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. પરીક્ષાને સુરક્ષિત, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજીને કડક સૂચનાઓ આપી છે. આ બેઠકમાં શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અને નબળા પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર સરકારની નજર

આ સાથે જ સરકારે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતી સામે પણ કડક વલણ અપનાવ્યું છે. મેટા, ગૂગલ અને ટેલિગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક અલગ બેઠક યોજીને નકલી પેપર લીક, ભ્રામક પોસ્ટ્સ અને ડર ફેલાવતી ટેલિગ્રામ ચેનલો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ

નકલી ટેલિગ્રામ ચેનલો પર લેવાશે કડક એક્શન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરીક્ષા પહેલા ઘણી ટેલિગ્રામ ચેનલો અચાનક સક્રિય થઈ જાય છે. આ ચેનલો નકલી પેપર લીક અને પુષ્ટિ વગરની માહિતી ફેલાવીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ગભરાટ ઊભો કરે છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ, આમાંની ઘણી લિંક્સ વિદ્યાર્થીઓને નકલી ગ્રુપ્સ અને ઓટોમેટેડ બોટ્સ સુધી દોરી જાય છે. આવી ઘણી શંકાસ્પદ ચેનલો કેટલાક મર્યાદિત મોબાઈલ નંબરોથી ઓપરેટ થઈ રહી છે, જે એક સંગઠિત નેટવર્ક હોવાની આશંકા દર્શાવે છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યા કડક આદેશો

આ મામલાને ગંભીરતાથી લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નકલી અને ભ્રામક માહિતી ફેલાવતી ચેનલોની ઓળખ કરીને તેમને તાત્કાલિક બ્લોક કરવા અને હટાવવાના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ શિક્ષણ મંત્રાલય, NTA અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને આ દિશામાં ઝડપથી કામ કરવું પડશે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને અફવાઓથી બચાવવા અને પરીક્ષા પ્રણાલી પર લોકોનો ભરોસો જાળવી રાખવો એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો : ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર