Entertainment

ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાન ક્રિયેટિવ મતભેદોને કારણે હટી ગયા છે. હવે રાહુલ મોદીની ફિલ્મમાં અશનીરના પાત્ર માટે યુવાન હીરોની શોધ ચાલી રહી છે. શ્રદ્ધા કપૂર માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા ભજવશે અને ફિલ્મના સહનિર્માત્રી પણ બનશે. હાલ શ્રદ્ધા અને રાહુલ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી

રાહુલ મોદીની ફિલ્મમાં શ્રદ્ધા હિરોઈન હશે
હવે આમિરને બદલે અશનીર ગ્રોવરના પાત્ર માટે યુવાન હીરોની શોધ

મુંબઇ : સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના નિર્દેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.
અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી. પણ હવે આમિરખાન આ ફિલ્મમાંથી હટી ગયો હોવાના અહેવાલો છે.
હાલ આમિરખાન તેની વિખ્યાત ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ'ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે માધવન અને શર્મન જોશી સાથે લાંબા સમય બાદ કામ કરી રહ્યો છે.
હવે આ ફિલ્મમાં અશનીરની ભૂમિકા ભજવવા માટે નવા નાની વયના હીરોની શોધ ચાલી રહી છે. આમિરખાન કે રાહુલ મોદીએ આ મામલે કશું સત્તાવાર જણાવ્યું નથી. શ્રદ્ધાના ચાહકોને એ ઇન્તેઝારી છે કે આ ફિલ્મમાં તેનો નવો હીરો કોણ બનશે.