Get The App

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ 1 - image

DK Shivakumar To Become Karnataka New CM :  કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા પરિવર્તનની ચર્ચાઓનો અંત આવ્યો છે. બેંગલુરુમાં યોજાયેલી કોંગ્રેસ વિધાયક દળ (CLP)ની બેઠકમાં રાજ્યના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારને સર્વસંમતિથી નવા નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. હવે તેઓ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે અને આગામી 3 જૂને તેમના શપથ ગ્રહણ યોજાશે. આ પૂર્વે ગુરુવારે સિદ્ધારમૈયાએ સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું, જેનો રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સ્વીકાર કરીને સમગ્ર મંત્રીમંડળ ભંગ કરી દીધું હતું.

શનિવારે ધારાસભ્યોની બેઠકમાં શું થયું?

શનિવારે બેંગલુરુ ખાતે એઆઈસીસી (AICC)ના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલાની હાજરીમાં વિધાયક દળની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.

પ્રથમ કાર્ય : તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો કે, નવા નેતા અંગેનો આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ કરશે. આ પ્રસ્તાવ સિદ્ધારમૈયાએ રજૂ કર્યો હતો અને ડૉ. પરમેશ્વરે તેને સમર્થન આપ્યું હતું.

બીજું કાર્ય : ત્યારબાદ સિદ્ધારમૈયાએ પોતે જ ડી.કે. શિવકુમારનું નામ નવા વિધાયક દળના નેતા (CLP Leader) તરીકે રજૂ કર્યું હતું. ડૉ. પરમેશ્વરે ફરીથી તેને સમર્થન આપ્યું અને તમામ ધારાસભ્યોએ એક અવાજે ડી.કે. શિવકુમારને પોતાના નવા નેતા તરીકે ચૂંટી લીધા.

ત્રીજું કાર્ય: નેતા ચૂંટાયા બાદ ડી.કે. શિવકુમારે એક પ્રસ્તાવ મૂકીને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

બેઠક વચ્ચે અચાનક રોકાઈ હતી : બેઠક દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે સિદ્ધારમૈયા, કે.સી. વેણુગોપાલ અને સુરજેવાલા અલગ રૂમમાં ચર્ચા કરવા ગયા હતા. આ આંતરિક ચર્ચા બાદ બેઠક ફરી શરૂ થઈ અને શિવકુમારના નામ પર સત્તાવાર મહોર લાગી ગઈ.

સિદ્ધારમૈયાએ શું કહ્યું?

પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, 'મારા રાજીનામા બાદ પાર્ટીએ નવા નેતાની પસંદગી કરવાની હતી, તેથી જ આ બેઠક બોલાવવામાં આવી હતી. અત્યાર સુધી ડી.કે. શિવકુમાર ડેપ્યુટી સીએમ હતા, હવે તેઓ ગૃહમાં પાર્ટીના નેતા (Floor Leader) તરીકે ચૂંટાયા છે.'

VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા

પાર્ટીએ કયા અંદાજમાં સિદ્ધારમૈયાનો આભાર માન્યો?

શનિવારે પસાર કરાયેલા એક વિશેષ પ્રસ્તાવમાં કોંગ્રેસ વિધાયક દળે સિદ્ધારમૈયાના કાર્યકાળની જોરદાર પ્રશંસા કરી હતી. પાર્ટીએ જણાવ્યું કે, તેમણે 2013 થી 2018 અને ત્યારબાદ 2023 થી 2026 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શાનદાર કામગીરી કરી છે. આ ઉપરાંત તેઓ બે વાર વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. સામાજિક ન્યાય માટેની તેમની પ્રતિબદ્ધતા, કાર્યશૈલી અને પાર્ટી પ્રત્યેની વફાદારી દરેક કોંગ્રેસ કાર્યકર્તા માટે એક મિસાલ છે. પાર્ટીએ ઉમેર્યું કે, આગામી સમયમાં પણ કર્ણાટક સરકારને તેમના માર્ગદર્શનનો લાભ મળતો રહેશે.