India

CJP આંદોલન મામલે દિલ્હી પોલીસ એક્શનમાં: Facebook, Instagram, X, YouTubeને ફટકારી નોટિસ

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી'ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ Facebook, Instagram, YouTube અને X જેવી 4 મોટી સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ પાઠવી છે. તેમને વિવાદિત કન્ટેન્ટ અને એકાઉન્ટ્સ તાત્કાલિક હટાવવા આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJP આંદોલન મામલે દિલ્હી પોલીસ એક્શનમાં: Facebook, Instagram, X, YouTubeને ફટકારી નોટિસ

Delhi Police Issues Notice To Social Media Company : દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ વિશ્વની 4 સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સને નોટિસ પાઠવી છે.

સોશિયલ મીડિયા પર દેશનું વાતાવરણ બગાડવાનો આક્ષેપ

દિલ્હી પોલીસ અનુસાર, CJP આંદોલન અને હિંસા દરમિયાન આ પ્લેટફોર્મ્સ પર હજારોની સંખ્યામાં ખોટી પોસ્ટ્સ, એડિટ કરેલા ફોટા અને ડીપફેક વીડિયો અપલોડ કરાયા હતા. આ ભ્રામક કન્ટેન્ટ દ્વારા લોકોને ભડકાવવાનો અને ખોટો નેરેટિવ ઊભો કરીને દેશનું વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ નોટિસમાં મુકાયો છે.

વિવાદિત કન્ટેન્ટ અને એકાઉન્ટ્સ તાત્કાલિક હટાવવા આદેશ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ અને અલગ-અલગ હેન્ડલ્સે પણ ચકાસણી કર્યા વગર જ આ ફેક ન્યૂઝ અને વીડિયો શેર કર્યા હતા. જેથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની IFSO યુનિટ દ્વારા સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે. યુનિટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે આવા તમામ વિવાદિત હેન્ડલ્સ, પોસ્ટ્સ અને વીડિયોઝને તુરંત હટાવવામાં આવે.

અફવાઓ પર પોલીસની કડક નજર અને કાર્યવાહી

પોલીસને ભ્રામક કન્ટેન્ટ અંગે સતત આમ જનતા તરફથી ફરિયાદો મળી રહી હતી. પોલીસ આ અફવાઓ પર સતત નજર રાખી રહી છે અને લોકો તરફથી મળેલા રિપોર્ટના આધારે શંકાસ્પદ એકાઉન્ટ્સ અને લિંક્સને માર્ક કરવામાં આવી રહી છે.

આ જ ડેટાના આધારે સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ મોકલાઈ છે, જેથી દેશની શાંતિ અને સુરક્ષાને નુકસાન પહોંચાડતા કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરી શકાય અને દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરી શકાય.