India

ભ્રષ્ટાચારીઓ બાળકોનું ભોજન ખાઇ ગયા મિડ-ડે મીલ વગર રૂ. 14 લાખનું બિલ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના બલિયામાં મધ્યાહન ભોજન યોજનામાં 14 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. બાંસડીહની તાજપુર મુડિયારી ઇન્ટર કોલેજમાં 2 વર્ષથી બાળકોને ભોજન મળતું ન હતું, છતાં કાગળ પર હાજરી પૂરી દેવાતી હતી. આચાર્ય ચંદ્રશેખર પાઠક સહિતના અધિકારીઓએ આચરેલા ભ્રષ્ટાચારનો ભાંડો ગ્રામજનોએ ફોડ્યો હતો. ડીએમ દ્વારા ગુપ્ત તપાસ થતાં આ મામલો બહાર આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભ્રષ્ટાચારીઓ બાળકોનું ભોજન ખાઇ ગયા મિડ-ડે મીલ વગર રૂ. 14 લાખનું બિલ
  • યુપીના બલિયાની સ્કૂલમાં મધ્યાહન ભોજન સ્કીમમાં ભ્રષ્ટાચાર
  • બે વર્ષ સુધી બાળકોને ભોજન ના આપ્યું, માત્ર ઓનપેપર ખોટી હાજરી પુરી આચાર્ય સહિતનાએ કૌભાંડ આચર્યું

બલિયા : ઉત્તર પ્રદેશના બલિયામાં બે વર્ષથી માત્ર કાગળ પર મિડ-ડે મીલ યોજના ચાલી રહી હતી, એટલુ જ નહીં બાળકો સુધી ભોજન પહોંચાડયા વગર જ ૧૪ લાખ રૂપિયાની ચુકવણી પણ થઇ ગઇ. સમગ્ર મામલે ડીએમ દ્વારા ગુપ્ત રીતે ચકાસણી કરાવવામાં આવી ત્યારે આ ભ્રષ્ટાચારનો ભાંડો ફુટયો હતો.
બલિયાના બાંસડીહ સ્થિત ઇન્ટર કોલેજ તાજપુર મુડિયારીમાં બે વર્ષથી મિડ-ડે મીલની યોજના તો ચાલી રહી પરંતુ માત્ર કાગળ પર, ભ્રષ્ટાચારી વચેટીયા આશરે ૧૪ લાખ રૂપિયા ખાઇ ગયા, તપાસ રિપોર્ટ હાલ ડીએમને સોંપવામાં આવ્યો છે સાથે જ જે પણ લોકો આ રૂપિયા ખાઇ ગયા છે તેમની પાસેથી પરત મેળવવાની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન આચરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કૌભાંડમાં ખુદ સ્કૂલના આચાર્ય ચંદ્રશેખર પાઠક અને અન્ય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. આ સમગ્ર કૌભાંડને કોઇ અધિકારી નહીં પણ ગામના જાગૃત બાળકો જ બહાર લાવ્યા હતા. ગામના બાળકોએ ડીએમ મંગલા પ્રસાદસિંહ સાથે મુલાકાત કરી હતી અને સ્કૂલમાં મિડ-ડે મીલ મધ્યાહન ભોજન ના મળી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. બહુ જ ગુપ્ત રીતે આ ફરિયાદ ડીએમસુધી બાળકોએ પહોંચાડી હતી. તપાસ કરતા સામે આવ્યું કે મિડ-ડે મીલ બનાવવાની વ્યવસ્થા એટલે કે રસોઇઘરમાં કોઇ જ અનાજ, દાળ કે ચોખા નહોતા મળ્યા, માત્ર રસોઇ બનાવવા માટેના કેટલાક વાસણો સિવાય કઇ જ નહોતું. રસોઇ નહોતી બની રહી પરંતુ બાળકો ભોજન કરી રહ્યા છે તેવા રિપોર્ટ તૈયાર થતા હતા અને બદલામાં મોટી રકમ વસુલાઇ રહી હતી.